શાર્ક ટેંક ઇન્ડિયાના એક શાર્કે પોતાના જન્મ દિવસ પર જાહેરાત કરી "ટાઇમ ફોર થર્ડ યુનિકોર્ન". હવે બીજા સેક્ટરમાં પણ નવા યુનિકોર્ન ઉભા કરવા માટેની તૈયારીઓ દર્શાવી
અશ્નીર ગ્રોવર થયા 40 વર્ષના
હજુ પણ કામ અધૂરા છે કહ્યું ગ્રોવરે
ભારતપે બોર્ડ માંથી દુર કરવામાં આવ્યા હતા
40 માં જન્મદિવસે કરી પોસ્ટ
અશ્નીર ગ્રોવરે જન્મદિવસની પોસ્ટમાં લખ્યું 'ટાઇમ ફોર થર્ડ યુનિકોર્ન'
અશ્નીર ગ્રોવરે તેના 40માં જન્મદિવસ પર આ પોસ્ટ શેર કરી હતી
ભારતીય ઉદ્યોગસાહસિક અશ્નીર ગ્રોવર આજે તેમનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અને માઇલસ્ટોન જન્મદિવસ પર, મિસ્ટર ગ્રોવરે જાહેરાત કરી કે તે "ત્રીજો યુનિકોર્ન" બનાવવા માટે તૈયાર છે. યુનિકોર્ન એ ટેક સ્ટાર્ટ-અપ્સ છે જેની કિંમત $1 બિલિયનથી વધુ હોય છે. ટ્વિટર પર પોતાની એક પોસ્ટ શેર કરતા ગ્રોવરે કહ્યું કે મારો હજુ અનફિનિશ્ડ બિઝનેસ છે અને તે માટે તે બીજા ક્ષેત્રમાં પણ જોડવા માંગે છે.
Today I turn 40. Some will say I’ve lived a full life and experienced more things than most. Created value for generations. For me it’s still unfinished business. Time to disrupt another sector. It’s time for the Third Unicorn !! pic.twitter.com/wb7ZQe41FY
હજુ પણ અધૂરો બિઝનેસ છે
ટ્વીટમાં ગ્રોવરે કહ્યું, “આજે હું 40 વર્ષનો થઈ ગયો છું. કેટલાક કહેશે કે મેં સંપૂર્ણ જીવન જીવી લીધું છે અને બીજા કરતાં વધુ વસ્તુઓનો અનુભવ કર્યો છે. આવનારી પેઢી માટે મૂલ્ય બનાવ્યું છે. મારા માટે, તે હજુ પણ અધૂરો બિઝનેસ છે. અન્ય ક્ષેત્રમાં જવાનો સમય આવી ગયો છે. હવે ત્રીજા યુનિકોર્નનો સમય છે.”
પોતાની કંપનીમાંથી દુર કરવામાં આવ્યા
ગ્રોવર અગાઉ ભારત પે અને ગ્રોફર્સ જેવા યુનિકોર્નનું નેતૃત્વ સંભાળ્યુ છે. તેમણે સ્થાપેલી કંપની, ભારત પેના બોર્ડ સાથે વિવાદ અને લોકોની ટિપ્પણીઓ આવી હતી. માર્ચમાં, થર્ડ પાર્ટી ઓડિટમાં તેમના હેઠળ ગંભીર ગવર્નન્સ ક્ષતિઓ હોવાનો આક્ષેપ કર્યા પછી, અગ્રણી ફિનટેક કંપનીમાં ઉદ્યોગસાહસિક પાસેથી તમામ ટાઇટલ અને હોદ્દા છીનવી લેવામાં આવ્યા હતા.