ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરીઝના ઘણા કિસ્સા ખૂબ જ ફેમસ થયા છે. તેમાંથી એક કિસ્સો ટિમ પેનને હાલમાં જ રિલીઝ થયેલા એક શોમાં સંભળાવ્યા હતો.
ભારત-ઓસ્ટ્રેલિયા સીરીઝને લઈને આવ્યો શો
ટિમ પેને ભારતીય પ્લેયર્સને કહ્યા સ્વાર્થી
જાણો શું છે સમગ્ર મામલો
વર્ષ 2020-21માં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં જે ઐતિહાસિક ટેસ્ટ સીરિઝ જીતી તેની મિસાલ દરેક જગ્યા પર આપી છે. હાલમાં જ આ સીરિઝને લઈને એક વેબ-શો આવ્યો છે. જેના પાછળની સ્ટોરી જણાવવામાં આવી છે. તેમાં એક કિસ્સો છે જે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને જણાવ્યો છે. ટિમ પેને કહ્યું કે ટીમ ઈન્ડિયાના અમુક પ્લેયર્સ ખૂબ જ સ્વાર્થી હતા. તેમણે આખી સીરિઝને ખતરામાં નાખી દીધી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
હકીકતે સોશિયલ મીડિયા પર તે સીરિઝનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં રોહિત શર્મા, શુભમન ગિલ, ઋષભ પંત, પૃથ્વી શો અને નવદીપ સેની હતા. આ બધા એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા. જ્યા મસ્તી મજાક ચાલી રહ્યો હતો.
આ વીડિયોને લઈને ટિમ પેને આ શોમાં વાત કરી, તેમણે જણાવ્યું કે તે ચાર-પાંચ લોકો આખી ટેસ્ટ સીરિઝને રિસ્ક પર મુકી રહ્યા હતા. શેના માટે? ફક્ત ચિપ્સ અને મસ્તી-મજાક માટે. મને લાગ્યું એ લોકો ખૂબ જ સ્વાર્થી છે.
પેટ કમિંસે પણ કરી હતી આલોચના
ટિમ પેન ઉપરાંત ઓસ્ટ્રેલિયાના હાલના કેપ્ટન પેન કમિંસે કહ્યું હતું કે અમે લોકો તેમને જોઈને ખૂબ જ પરેશાન હતા. પેટે કહ્યું કે તેનાથી અમુક યુવકોને ખૂબ જ પરેશાની થઈ, ખાસ કરીને તેમને જે ક્રિસમસ પણ પોતાના પરિવાર વગર વિતાવી રહ્યા હતા. એવામાં જ્યારે અમુક લોકો બહાર મસ્તી કરી રહ્યા હતા અને નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યયા હતા ત્યારે અમને દુખ થયું.
તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે વર્ષ 2020-21માં રમાયેલી ટેસ્ટ સીરીઝને ખૂબ જ ઔતિહાસિક માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયા પહેલા ટેસ્ટમાં ફક્ત 36ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ખરાબ રીતે મેચ હારી હતી.