અમદાવાદના બહેરામપુરામાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. બહેરામપુરાની દુધવાળી ચાલીમાં આવેલા હરિહંત પાર્લરની દિવાલો તોડીને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો.
મોડી રાત્રે તસ્કરોએ દુકાનમાંથી રૂ. 8 લાખથી વધુની માની ચોરી કરી હતી. તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ સમગ્ર ઘટનાના પગલે પોલીસે ત્રણ આરોપીઓની પણ ધપકડ કરી તપાસ હાથ ધરી છે.
બીજી તરફ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આ તસ્કરીમાં ભૂતપૂર્વ કાઉન્સિલર શકીલ અહેમદના મોટા દિકરા શરીફનો હાથ છે. શરીફે એક સપ્તાહ પહેલાં જ એક વ્યક્તિને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. જે અંગેની ફરિયાદ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.