સરકાર હાલ વર્ષ 2022 સુધી બધા માટે ઘરનું લક્ષ્ય લઈને ચાલી રહી છે. સરકારી આંકડા મુજબ અંડર કંન્સ્ટ્રક્શન અને બની ગયેલા ઘરોની કુલ સંખ્યા 73 લાખથી વધારે છે. જેમાંથી 43 લાખ ઘરોનું નિર્માણ પૂરુ થઈ ચૂક્યુ છે.
2022 સુધી સૌને પાકા ઘરનું લક્ષ્ય
75મી વર્ષગાંઠ પર દેશમાં ઓછી કિંમતે ઘર મેળવશે
ઘરોનું નિર્માણ 100 ટકા બને અને સમયસર ડિલીવરી થાય તેનું ધ્યાન રખાશે
56 હજાર નવા ઘરોને મંજૂરી
સસ્તા ઘરનું સપનું જોનાર લોકો માટે મોટી ખુશખબર. સરકારે આજે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત 56 હજારથી વધારે નવા ઘરોને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી સેન્ટ્રલ સેંક્શનિંગ એન્ડ મોનિટરિંગ કમિટીની 53મી બેઠકમાં આપવામાં આવી છે. તેની સાથે સરકારે મકાનોની ડિલીવરી ઝડપથી થાય તે પણ સુનિશ્ચિત કરવા માટે ખાસ યોજના તૈયાર કરી છે. સરકારે આજે કુલ 56368 નવા ઘરનાં નિર્માણ માટે મંજૂરી આપી દીધી છે. નિર્ણય બાદ આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયનાં સચિવ દુર્ગા શંકર મિશ્રાએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અપીલ કરી કે તેઓ સુનિશ્ચિત કરે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘરોનું નિર્માણ તેની યોજનાનાં 100 ટકા બને અને તેની ડિલીવરી સમયસર નક્કી થાય.
43 લાખ તૈયાર મકાનો
સરકાર હાલ 2022 સુધી સૌના માટે ઘરનુ લક્ષ્ય લઈને ચાલી રહી છે. મોદી સરકાર મુજબ દેશ જ્યારે સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યો હશે ત્યારે દેશમાં બધા પાસે પાકા મકાન હશે. સરકારી આંકડા મુજબ અંડરકંન્સ્ટ્રક્શન અને તૈયાર મકાનોની કુલ સંખ્યા 73 લાખથી વધારે છે અને તેમાં 43 લાખ ઘરોનું નિર્માણ થઈ ચૂક્યું છે.
શું છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 4000થી વધારે પ્રદેશો અને શહેર સામેલ છે. જેમાં શહેરી વિકાસ પ્રાધિકરણ, વિશેષ ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ, ઔદ્યોગિક વિકાસ પ્રાધિકરણ, શહેરી પ્રાધિકરણ વગેરે આવે છે. યોજનામાં સબસીડી, એફોર્ડેબલ હાઉસિંગ પાર્ટનરશિપ, ઝુંડપપટ્ટીની જગ્યાએ પાકા ઘરનું નિર્માણ કે લાભાર્થીઓ દ્વારા પોતાના મકાનનું નિર્માણ કે સુધાર જેવા પ્રયત્નોથી લોકોને ઓછી કિંમતમાં પાક્કુ મકાન આપવામાં આવશે.