દેશભરમાં અત્યારે સોશિયલ મીડિયા એપ ટિકટોકની ખૂબ ચર્ચા છે. ટિક ટોક પર પ્રતિબંધ મૂકવા માટે મોટા પાયે માંગણીઓ કરવામાં આવી રહી છે. લોકોનું માનવું છે કે ટિકટોક આપરાધિક માનસિકતાએ પ્રોત્સાહન આપી રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનીલ દેશમુખે ટિકટોક પર મોટું નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રમાં વધી રહેલા સાયબર ક્રાઈમ માટે ટિકટોકને જવાબદાર ઠેરવવામાં આવી છે.
સાયબર ક્રાઈમમાં વધારો જોવા મળ્યો : અનીલ દેશમુખ
રેપ અને એસિડ અટેકના વીડિયો રાજયભરમાં વાયરલ થઇ રહ્યા છે : મહારાષ્ટ્રના ગૃહમંત્રી
સાયબર ક્રાઈમ વિભાગ કડક કાર્યવાહી કરશે
રાજ્યમાં અપરાધ વધી રહ્યા છે : ગૃહમંત્રી
મહારાષ્ટ્રનાં ગૃહમંત્રીએ કહ્યું કે ટિકટોકનાં વીડિયોના કારણે રેપ અને એસિડ અટેકના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. કોરોના વાયરસ લોકડાઉન વચ્ચે મહારાષ્ટ્રમાં ગુનાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. લોકડાઉન છતાં આપરાધિક મામલાઓમાં વધારો થતાં રાજ્યનાં ગૃહમંત્રી અનીલ દેશમુખનું માનવું છે કે લોકડાઉનમાં સાયબર ક્રાઈમમાં વધારો જોવા મળ્યો તેનું કારણ ટિકટોક છે.
વીડિયો પોસ્ટ કરનારા પર કડક કાર્યવાહી
અનીલ દેશમુખે કહ્યું કે 'રાજ્યમાં સાયબર ક્રાઈમના કેસની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. ટિકટોકના માધ્યમથી રેપ અને એસિડ અટેકના વીડિયો વાયરલ થઇ રહ્યા છે.' આટલું નહીં તેમણે આવા વીડિયો બનાવનાર લોકો પર કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. તેમણે વધુમાં જણાવતાં કહ્યું કે રાજ્યનું સાયબર ક્રાઈમ વિભાગ આવી પોસ્ટ કરનાર લોકો પર કડક કાર્યવાહી કરશે.
વર્તમાનમાં ટિકટોક પર પ્રતિબંધની ઉઠી રહી છે માંગ
નોંધનીય છે જે થોડા સમય પહેલાં જ ટિકટોક સ્ટારનો એસિડ અટેકનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો જે બાદથી ટિકટોકનો મુદ્દો સોશિયલ મીડિયામાં ઉઠાવવામાં આવી રહ્યો છે તથા આવા વીડિયો રોકવા માટે ટિકટોક સામે પણ કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.