સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો ભેદ હજૂ તો ઉકેલાયો નથી અને એક પછી એક લોકોની આત્મહત્યાના સમાચાર સામે આવી રહ્યાં છે. સુશાંત બાદ આજે 16 વર્ષની ટીકટોક સ્ટાર સિયા કક્કરે આત્મહત્યા કરી લીધી છે. માત્ર 16 વર્ષની પોપ્યુલર સ્ટારને એવી તો પ્રોબ્લેમ હતી કે તેણે આ પગલુ ભરીને જીવન ટૂંકાવી નાંખ્યું. સિયાની આત્મહત્યા પર વિરલ ભયાણીએ પોસ્ટ પણ લખી છે.
વિરલની પોસ્ટ અનુસાર સિયાએ તેના મેનેજર સાથે એક ગીતને લઇને વાત કરી હતી અને તે સ્વસ્થ હતી, એવુ જરા પણ નહોતુ લાગી રહ્યુ કે તેને કોઇ પરેશાની છે. સિયાએ શા કારણથી આ નિર્ણય કર્યો તે સમજમાં આવી રહ્યું નથી.