ભારતમાં ટિકકોટ પર બેન લાગ્યા બાદ સમાચાર આવ્યા હતા કે માઈક્રોસોફ્ટ ટિકટોકનો બિઝનેસ ખરીદી શકે છે. માઈક્રોસોફ્ટે ટિકટોકને ખરીદવાનો નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટિકટોકને 15 સપ્ટેમ્બર સુધી અમેરિકામાં કારોબાર વેચવાની ડેડલાઈન આપ્યા બાદ કર્યો હતો. હવે એ વાતની ચર્ચા થઈ રહી છે. કે રિલાયન્સ પણ આ શક્યતાને ધ્યાનમાં રાખી રહ્યું છે. જે અંતર્ગત ટિકટોકનો ભારતમાં થનારો બિઝનેસ માં તે રોકાણ કરી શકે છે. આ અંગે સૂચના મામલા સાથે જોડાયેલા 6 અધિકારીઓએ એક મીડિયા સાથે વાત કરી હતી. જાણો શું છે સમગ્ર હકિકત.
રિલાયન્સ અને તેની પ્રોડક્ટ જિયો આ વાત પર વિચાર કરી રહ્યા છે કે ...
માઈક્રોસોફ્ટે પણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી હતી
એ પણ સમાચાર છે કે ટિકટોકના સીઈઓ કેવિન મેયર રિલાયન્સના ટોપના અધિકારીઓને મળ્યા છે. જેથી જાણી શકાય કે ભારતનો બિઝનેસ ખરીદવામાં રિલાયન્સને કોઈ રસ છે કે કેમ. જ્યારે રિલાયન્સ અને તેની પ્રોડક્ટ જિયો આ વાત પર વિચાર કરી રહ્યા છે કે આ સમયે ટિકટોકનો ભારતનો બિઝનેસ ખરીદવો ફાયદાકારક રહેશે કે કેમ. એક અધિકારીએ કહ્યું કે રિલાયન્સ અને ટિકટોકના અધિકારીઓ હાલ સંપર્કમાં છે.
ભલે માર્કેટમાં એવું ચર્ચાઈ રહ્યું હોય કે રિલાયન્સ ટિકટોક ખરીદી શકે છે. પણ કંપનીએ તેને અફવા ગણાવી તેના પર કોઈ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યુ હતુ. રિલાયન્સના પ્રવક્તાએ કહ્યું કે કંપનીએ હંમેશા સેબીના નિયમો હેઠળ અને સ્ટોક એક્સચેન્જની સાથે એગ્રિમેન્ટ હેઠળ જરુરી સૂચનાઓ આપી છે.
ટિકટોકે એક મીડિયા હાઉસને કોઈ જવાબ આપ્યો નથી. માઈક્રોસોફ્ટે પણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી હતી. કેવિન મેયરને ઈટીએ લિંક્ડઈનના માધ્યમથી મેલ કર્યો હતો. તેનો કોઈ જવાબ મળ્યો નથી. સૂત્રોના જણાવ્યાનુંસાર હજું ડીલનો શરુઆતનો સમય ચાલી રહ્યો છે. બની શકે કે ડીલ ન થાય કેમ કે આમા અનેક અડચણો આવી રહી છે.