કેન્દ્ર સરકારના 3 નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનને 100થી વધારે દિવસનો સમય પસાર થઇ ચૂક્યો છે. સરકાર અને ખેડૂતો વચ્ચે થયેલી થોકબંધ બેઠક છતાં ઉકેલ નથી આવ્યો ત્યારે રાકેશ ટિકૈતે ફરી દિલ્હીમાં ઘૂસવાની ચીમકી ઉચ્ચારી છે.
ખેડૂત આંદોલન ફરી થયું બેઠું
રાકેશ ટિકૈતે ટ્વીટ કરીને ઉચ્ચારી ચીમકી
મોદી સરકારની ચિંતા વધશે
બુધવારે રાકેશ ટિકૈતે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ખેડૂતોએ દિલ્હીમાં ફરીથી ઘૂસવું પડશે અને બેરિકેડ તોડવા પડશે. ટિકૈતના આ ટ્વીટથી મોદી સરકારની ઊંઘ ઉડી જશે. ઉલ્લેખનીય છે કે, ટિકૈત દેશભરમાં વિવિધ સ્થળોએ અલગ-અલગ મહાપંચાયત કરી રહ્યા છે.
દિલ્હીમાં બેરિકેડ તોડવા પડશે
મંગળવારે જયપુર ખેડૂત મહાપંચાયતમાં રાકેશ ટિકૈતે કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું હતું કે, સરકાર લોકોની જાતિ-ધર્મમાં વેચ્યા પરંતુ હવે અન્નદાતામાં ભાગલા પડવાના નથી. જરૂર પડશે તો સંસદમાં પણ પોતાનો પાક વેચીને બતાવશે. તેમણે વધુમાં કહ્યું કે, ખેડૂતોને જ્યારે કહેવામાં આવશે કે, હવે દિલ્હી તરફ જવું પડશે. દિલ્હીના બેરિકેડ ફરી તોડવા પડશે.
किसानों को फिर दिल्ली में घुसना होगा और बैरिकेड तोड़ने होंगे- राकेश टिकैत
તેમણે એમ પણ કહ્યું કે, "વડા પ્રધાને કહ્યું હતું કે ખેડૂત પોતાનો પાક ગમે ત્યાં વેચી શકે છે." અમે અમારા પાકને ક્યાંય પણ વેચીને બતાવીશું. તેને વેચીને બજારની બહાર વેચીને બતાવીશું, જે ભારત સરકારનો દર છે, અને સંસદમાં પણ તેમના પાક વેચીને બતાવવામાં આવશે.
26 માર્ચે દેશભરમાં બંધનું એલાન
ઉલ્લેખનીય છે કે, ખેડૂત કાયદાના વિરોધમાં દિલ્હીને ઘેરીને બેઠેલા ખેડૂતોએ કૃષિ કાયદાના વિરોધમાં 26 માર્ચે ભારત બંધનું એલાન કર્યું છે ત્યારે ખેડૂત નેતા હાલ રાકેશ ટિકૈત કર્ણાટક પહોંચ્યા હતા. જ્યાં ટિકૈતે બેંગાલૂરૂમાં ખેડૂતોને 26 માર્ચે કર્ણાટક બંધ કરવાનું આહવાન કર્યું છે. રાકેશ ટિકૈતે કહ્યું કે, ખેડૂતો તરફથી સારી પ્રતિક્રિયા મળી છે. તેમણે એમપણ કહ્યું કે, ખેડૂતોને પણ ન્યૂનતમ સમર્થન મૂલ્યને લઈને સમસ્યા છે.
બેંગાલૂરૂને દિલ્હી બનાવવાની કરી વાત
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી ખેડૂત કાયદા પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. ટિકૈતે કહ્યું કે, બેંગાલૂરૂમાં આંદોલનનું નવું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. સ્થાનિકોને તેમણે અપીલ કરી કે, જેઓ દિલ્હી નથી જઇ શકતા તેઓ અહીં રહીને આંદોલન કરો, આપણે બેંગાલૂરૂને દિલ્હી બનાવવું છે.