છેલ્લા બે મહિનાથી પણ અધિક સમયથી ચાલી રહેલા આંદોલનમાં હવે જાણે ખરાખરીના જંગનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાકેશ ટીકૈતે ફરી મોટું નિવેદન આપ્યું છે.
રાકેશ ટીકૈતે ફરી ભરી હુંકાર
આંસુઓની અસર તમે જોઈ લીધી : ટીકૈત
હવે આંદોલન હજુ મજબૂત થઈ જશે : ટીકૈત
ફરી આપ્યું મોટું નિવેદન
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ગાજીપુર બોર્ડર સતત ખેડૂતો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. એક સમયે જે આંદોલન ખતમ થવાની તૈયારીમાં હતું ત્યાં શુક્રવાર બાદ મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચી રહ્યા છે અને ધરણાંમાં હવે મોટા રાજકીય નેતાઓ પણ પહોંચી રહ્યા છે ત્યારે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈતે સ્પષ્ટરૂપે પોતાની માંગ સામે મૂકી છે. મીડિયા સામે ભાવુક થયા બાદ હવે આંદોલનને મજબૂત બનાવવા માટે તેમણે કહ્યું આંસુની અસર જોઈ લીધી છે અને હવે આંદોલન વધુ મજબૂત થઈ જશે.
રાકેશ ટીકૈતને સતત વિવિધ પાર્ટીઓ દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે. અનેક નેતાઓ ગાજીપુર બોર્ડર પહોંચ્યા હતા ત્યારે ટીકૈતે કહ્યું છે કોઈને પણ મંચ આપવામાં આવી રહ્યું નથી. રાજકીય રૂપના સવાલ પર ટિકેતે કહ્યું કે કોઈને પણ વોટ આપવાની અપીલ કરી રહ્યા છે?
ધરપકડ થાય તો પણ ચાલતું જ રહેશે આંદોલન
દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ બાદ દિલ્હી પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યારે ધરપકડના સવાલ પર રાકેશ ટીકૈતે કહ્યું કે જેલ પણ ચાલશે અને આંદોલન પણ ચાલશે અને કાયદાનું પાલન પણ કરવામાં આવશે. ધરણાંમાં ધરપકડ કરી લેવામાં આવે તો? આ સવાલ પર રાકેશ ટીકૈતે કહ્યું કે આ આંદોલન હું નહીં પણ ખેડૂતો ચલાવી રહ્યા છે અને આંદોલન ચાલતું જ રહેશે.
ગાઝીપુર બોર્ડરની આસપાસના વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા અટકાવાઈ
ખેડૂત નેતાઓના એલાન અને પ્રદર્શનકારીઓની સંખ્યામાં વધારો થયા બાદ ગાજીપુરમાં તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે જેમાં ઈન્ટરનેટ સેવા પર રોક લગાવી દેવામાં આવી છે. નોંધનીય છે ગાજીપુરમાં જ રાકેશ ટીકૈત પોતાના સમર્થકો સાથે આંદોલન કરી રહ્યા છે. આ પહેલા ખેડૂત અગ્રણી દર્શનપાલ સિંહે સિંઘુ બોર્ડર પર ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે સરકાર સામે માંગ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે અમારો અવાજ લોકો સુધી પહોંચી ન શકે તે માટે ઇન્ટરનેટ રોકવામાં આવ્યું છે.
વિવિધ બોર્ડર પર શું છે હાલ
કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી નજીકની ગાજીપુર, સિંધુ અને ટીકરી બોર્ડર પર હજુ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. કાયદાને રદ્દ કરવાને લઇને અડગ ખેડૂત આ મુદ્દા પર સરકારની સાથે આર-પારની લડાઇનું એલાન કરી ચૂક્યાં છે. જેને લઇને દિલ્હીની સરહદ પર ખેડૂતોનું આંદોલન 66માં દિવસ ચાલુ છે. ખેડૂતઓએ સરકારને જલ્દી તેની માંગણી માનવા અપીલ કરી છે.
સ્વતંત્ર દિવસ પર દિલ્હીમાં ખેડૂતોની ટ્રેકટર રેલી દરમિયાન થયેલી હિંસા પછી જ્યાં બધા સરહદો પર ખેડૂતોની સંખ્યા ઘટી ગઇ હતી, જે એકવાર ફરી વધવા લાગી છે. 26 જાન્યુઆરી પછી એવું લાગી રહ્યું હતું કે હવે આંદોલન લગભગ પુરુ થઇ ગયું છે, પરંતુ ગુરુવાર સાંજે ગાજીપુર પર રહેલા ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકેતના વીડિયો ટીવી ચેનલ પર ચાલ્યા પછી માહોલ ફરીથી બદલાઇ ગયો અને ખેડૂતોનો ફરીથી ધરણા સ્થળો પર પરત ફરવાની ગતિવિધી શરુ થઇ ગઇ છે.
રાકેશ ટિકૈતનું કહેવું છે કે અમે ધરણાસ્થળ ખાલી નહી કરીએ, અમે પહેલા અમારા મુદ્દાઓ પર ભારત સરકાર સાથે વાત કરીશું. સરકાર જે પણ કરે અમે ગાજીપુર સરહદ છોડીશું નહીં. જ્યાં સુધી કાયદાઓ રદ્દ નહી થાય અને MSP પર નવો કાયદો નહી બની જતો ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં.