ભારતની પ્રખ્યાત જેલોમાંથી એક તિહાર આ દિવસોમાં ચર્ચામાં છે. તિહાર જેલના ઘણા વીડિયો પણ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આજે અમે તમને તિહારની આખી કહાણી જણાવીએ છીએ...
તિહાર જેલ હાલ ચર્ચામાં
ઘણા વીડિયો આવ્યા છે સામે
જાણો તિહાલ જેલ સાથે જોડાયેલી અમુક વાતો
આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન અને શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબને લઈને આ દિવસોમાં તિહાડ જેલ ખૂબ ચર્ચામાં છે. સત્યેન્દ્ર જૈન સાથે જોડાયેલા કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. જેના કારણે રાજકીય પક્ષોમાં ચર્ચા વધી છે. તિહાડ જેલ સાથે જોડાયેલા અનેક સમાચારો બાદ હવે જેલને લઈને અનેક પ્રકારના સવાલો પૂછવામાં આવી રહ્યા છે.
તિહાડમાં કેદીઓ કેવી રીતે રહે છે અને સરકાર દ્વારા તેમની કેવી કાળજી લેવામાં આવે છે તેમાં લોકોને રસ છે. આ ઉપરાંત લોકો જાણવા માંગે છે કે તિહાર જેલ કેટલી મોટી છે અને અત્યારે ત્યાં કેટલા કેદીઓ રહે છે. તો અહીં જાણો તિહાડ જેલ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો...
ભારતની સૌથી મોટી જેલ છે તિહાડ જેલ
ભારતની સૌથી મોટી જેલ હોવાની સાથે તિહાડ જેલ દુનિયાની સૌથી મોટી જેલમાંથી એક છે. સાથે જ તેને સાઉથ એશિયાની સૌથી મોટી જેલ પણ માનવામાં આવે છે અને તે ઘણા ભાગોમાં વહેંચાયેલી છે. તેમાં 9 સેન્ટ્રલ જેલ છે. દરેક જેલમાં અલગ-અલગ કેદીઓ રહે છે અને કેદીઓને તેમના નામ, લિંગ, ક્રાઈમ અને સજાના આધારે વિભાજિત કરવામાં આવ્યા છે.
400 એકરમાં આવેલી છે જેલ
એવું કહેવાય છે કે તે લગભગ 400 એકરમાં ફેલાયેલી છે અને પેપર મેકિંગ, ટેલરિંગ, પોટ્રી, શૂ મેકિંગ અને બેકિંગ જેવા વ્યવસાયો પણ તેમાંથી ચાલે છે. તેમાં રહેતા કેદીઓની વાત કરવામાં આવે તો ભારતની અનેક મોટી હસ્તીઓ તિહાર જેલમાં ગઈ છે. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં ત્રણ મહત્વપૂર્ણ જેલ છે. જેમાં તિહાર, રોહિણી અને મંડોલીનો સમાવેશ થાય છે. તિહારમાં 9 સેન્ટ્રલ જેલો છે, બાકીની સેન્ટ્રલ જેલો રોહિણી અને મંડોલીમાં સામેલ છે.
કઈ રીતે નક્કી થાય છે કે કયો કેદી ક્યાં રહેશે?
જેલ નંબર-1માં એ કેદીઓને રાખવામાં આવ્યા છે જેમના નામ 'S' અને 'Y' આલ્ફાબેટથી શરૂ થાય છે. 10 વર્ષ કે તેથી વધુ સજા ધરાવતા કેદીઓને જેલ નંબર-2માં રાખવામાં આવે છે. જે કેદીઓનું નામ B, V, C, D, E, F અને G થી શરૂ થાય છે તેમને જેલ નંબર-3 માં રાખવામાં આવ્યા છે.
જે કેદીઓનું નામ A અને R થી શરૂ થાય છે તેવા કેદીઓને જેલ નંબર-4માં રાખવામાં આવે છે. આ સાથે કેદીઓને વિવિધ આલ્ફાબેટ સાથે વહેંચવામાં આવે છે. 10 વર્ષથી ઓછી સજા ધરાવતા કેદીઓને જેલ નંબર-5માં રાખવામાં આવે છે. મહિલાઓને જેલ નંબર-7માં રાખવામાં આવી છે. તેવી જ રીતે દરેક જેલ પ્રમાણે કેદીઓની વહેંચણી કરવામાં આવી છે.
કેટલા કેદી રહી શકે છે?
16 સેન્ટ્રલ જેલોની કેપેસિટી નક્કી છે. પરંતુ મોટાભાગની જેલોમાં તેમની ક્ષમતા કરતા વધુ કેદીઓ છે. જો આપણે વર્ષ 2019 ના આંકડાઓ પર નજર કરીએ તો, ઘણી જેલોમાં ક્ષમતા કરતા ચાર ગણા કેદીઓ રહી રહ્યા છે. 2019 માં આખી જેલની ક્ષમતા 10026 હતી, પરંતુ તે સમયે જેલમાં 17534 કેદીઓ હતા. મહત્વનું છે કે અહીં અંડરટ્રાયલ કેદીઓની સંખ્યા ઘણી વધારે છે.
કયા કેદીઓ માટે શું સુવિધાઓ છે?
કેદીઓના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે લગભગ 100 ડોક્ટરોની ટીમ છે. જેમાં સ્પેશિયાલિસ્ટ, સીનિયર રેજિડેન્ટ, રેજિડેન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 71 નર્સિંગ સ્ટાફ પણ છે. આ સાથે જેલ માટે 120 બેડની હોસ્પિટલ પણ છે અને ઈમરજન્સી માટે ખાસ વ્યવસ્થા છે.
કેદીઓને મળવાની વ્યવસ્થા પણ છે. જેમાં જેલ પ્રમાણે સમય નક્કી કરવામાં આવે છે જે દરમિયાન કેદી સાથે જોડાયેલા લોકો તેમને મળી શકે છે.
કેદીઓની સુરક્ષા માટે સંપૂર્ણ કાળજી રાખવામાં આવે છે.
કેદીઓને સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે.
કેદીઓને તેમના સંબંધીઓ અને પરિવારના સભ્યોને મળવા માટે સમય આપવામાં આવે છે.
NGOની મદદથી કેદીઓના શિક્ષણ, ધર્મ વગેરેની કાળજી લેવામાં આવે છે.
કેદીઓને મફત કાયદાકીય માહિતી આપવામાં આવે છે.
કોર્ટની કાર્યવાહી અંગે કેદીઓ માટે વીડિયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા છે.