જ્યાં રાષ્ટ્રના સઘળા પંથો એક થઈ જાય છે તે સદા ફરતાં રાષ્ટ્રધ્વજની ગરિમાં જેટલી ઉંચાઈ આધારિત છે. તેટલી તે સ્થિતિ આધારિત પણ છે પરંતુ ક્યારેક પ્રસિદ્ધિ અને વાહવાહી માટે ધ્વજને એટલી ઊંચાઈ પર સ્થાપિત કરવામાં આવે છે પરંતુ તે ઊંચાઈને જાળવી રાખવા પૂરતાં પગલા લેવામાં ઉદાસીનતા દાખવવામાં આવે છે.
જેના કારણે રાષ્ટ્રધ્વજનું અપમાન થાય છે. વાત ક્યાંય દૂરની નથી વડોદરાના આકાશ પર દોઢ વર્ષ પહેલા ફરકાવવામાં આવેલા રાષ્ટ્રધ્વજની હાલત જ જોઈલો. કદાચ રાષ્ટ્રધ્વજ વગરના એ પોલને જોઈને તમે નિરાશ થઈ જશો.
26 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં આન બાન શાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. દેશના સીમાડાના સુરક્ષા અને ગણતંત્રના રખોપા સાથે શૌર્યગીતોના તાલે આ રાષ્ટ્ર ધ્વજને લોકો સલામી આપશે.
જોકે ગણતંત્ર દિવસને હજુ થોડા દિવસની વાર છે પરંતુ જેના પર રાજ્યમાં સર્વોચ્ચ ઉંચાઈ પર ધ્વજ ફરકતો હતો તે રાષ્ટ્ર ધવ્જ વગરના આ પોલને જોઈને તમે કદાચ નિરાશ થઈ જશો. કેમ કે વડોદરાના આકાશ પર 365 દિવસ 62 ફૂટ ઊંચે આકાશમાં રાજ્યનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકતો રહે તેવું આયોજન વડોદરા કોર્પોરેશન દ્વારા કરાયું હતું 14 ઓગસ્ટ 2017ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.
જોકે દોઢ વર્ષના ટૂંકા ગાળામાંએ રાષ્ટ્ર ધ્વજ 7 વખત ફાટી ચુક્યો છે અને 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસને માંડ થોડા દિવસ બાકી છે ત્યારે રાષ્ટ્રધ્વજ વગરનો પોલ જોઈ લોકો નિરાશ થઈ રહ્યા છે.
માત્ર રાષ્ટ્રધ્વજની જ સ્થિતિ નહીં પરંતુ 42 લાખના ખર્ચે તૈયાર કરાયેલી આ જગ્યા એ આજે ઝાડી ઝાખરા ઊગી નીકળ્યાં છે. અહીં બનાવેલું આદિવાસી મ્યુઝિયમ પણ આજે ગાયબ થઈ ગયું છે. અહીંયા અનેક વૃક્ષો હતા તે પણ કાપી નખાયા છે
અહીંયા રાજ્યના સૌથી ઉંચા રાષ્ટ્રધ્વજ ને 24 બાય 7 અને તે પણ 365 દિવસ ખુલા આસમાનમાં ફરકાવવાનું આયોજન હતું પરંતુ કોર્પોરેશનની અણઆવતના કારણે એ નિયમની જાળવણી થઈ શકી નથી. હવે જ્યારે ગણતંત્ર દિવસ નજીકઆવી રહ્યો છે ત્યારે તંત્રને રાષ્ટ્ર ધ્વજ અને મેદાનની દશા તરફ ધ્યાન જશે.
અનેક વખત નિયમ વિરુદ્દ ફાટેલો ધ્વજ ફરકતો રાખવના કોર્પોરેશન પર આરોપ લાગી ચૂક્યા છે અને રાષ્ટ્રધ્વજ નિયમભંગની ફરિયાદ પણ કરવામાં આવી છે છતાં ફરજમાં બેદરકારી દાખવવામાં ભંગ બદલ કોઈ સામે પગલાં લેવામાં આવ્યા નથી. રાજ્યના આકાશ પર વડોદરા ખાતેથી સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ કાયમ ફરકાવતો રાખવાની નેમ સાથે કરાયેલું આયોજન જાળવવામાં વડોદરા કોર્પોરેશન સફળ રહ્યું નથી.
વાહ વાહી માટે રાષ્ટ્રધ્વજને ગજા બહારની ઊંચાઈ પર વડોદરા કોર્પેરેશને ફરકાવાનું આયોજન કરી દીધુ અને તેમના આયોજન પર સરકારે પણ વગર વિચાર્યે મત્તુ મારી દીધું પરંતુ વાહવાહીની ઊંચાઈ સર કરવામાં રાષ્ટ્રધ્વજની ગરિમા જાળવા માટે ચુસ્ત આયોજન કરવાનું જ રહી ગયું અને દોઢ વર્ષના ગાળા દરમિયાન રાજ્યના આકાશમાં 62 ફૂટની ઊચાઈ પરથી રાષ્ટ્રધ્વજનું વારંવાર અપમાન થતું રહ્યુ છે.
હવે જ્યારે 26મી જાન્યુઆરી નજીક છે ત્યારે લોકો ઈચ્છી રહ્યા છે કે જર્જરિત થયા વગરનો કાયમ ફરકતો રહે તેવી ગુણવત્તા સાથેનો રાષ્ટ્રધ્વજ કોર્પોરેશને આ 26મી જાન્યુઆરીએ ફરકાવવો જોઈએ.
રાષ્ટ્ર ધ્વજ અંગેના આ વિવાદ વચ્ચે ગુજરાતની જનતા આગામી પ્રજાસત્તાક દિવસે મોટી સંખ્યામાં સમાં વિસ્તાર પહોંચશે ત્યાં સુધી કોર્પોરેશન તંત્ર રાષ્ટ્રધ્વજ લગાવે છે કે નહીં તે જોવું રહ્યું.