અસમ-બિહારમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. આ વચ્ચે પ્રદેશના કાઝીરંગા સ્થિ હરમતિ વિસ્તારના એક ઘરમાં આ સમયે હલચલ થઇ ગઇ જ્યારે ઘરના લોકોને બેડ પર એક વાઘ આરામ ફરમાવતો જોવા મળ્યો.
સવારે 7 વાગે વાઘને ઘરના બેડ પર જોઇને ઘરના લોકોને ચોંકી ગયા, તમામ લોકો ઘરમાંથી નીકળી ગયા અને દૂર જઇને ઉભા રહી ગયા. તાત્કાલિક વન વિભાગને સૂચના આપવામાં આવી. જોકે વાઘ પર નજર રાખવામાં આવી રહી છે. હજુ સુધી (લખાઇ રહ્યુ છે ત્યાં) તેને ઘરની બહાર કઢાયો નથી.
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 18, 2019
કાઝીરંગાના હરમતિ વિસ્તારમાં રફીકુલનું ઘર છે. સવારે તેઓ પોતાના ઘરના એક રૂમમાં પહોંચ્યો ત્યારે ચોંકી ગયો, કેમેક તેણે ત્યાં વાઘ જોયો. તેમણે સમજાયુ નહી કે શું કરવુ. તેઓ ઘરની બહાર ભાગ્યા અને બાકીના સભ્યોને પણ ભાગવાનુ કહ્યુ. તેણે દરવાજો બંધ કરી દીધો. જોતજોતા આ વાત આખા વિસ્તારમાં ફેલાઇ જતા લોકો વાઘ જોવા માટે ઉમટી પડ્યા. વન વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઇ, ટીમ વાઘ પર નજર રાખી રહી છે.
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 18, 2019
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, પાણી ભરાઈ જવાના કારણે વાઘને ખોરાક નહી મળ્યો હોય એટલે તે ખોરાકની શોધમાં ઘરમાં ઘૂસી ગયો હશે. અહીં તેને સૂકો પલંગ દેખાતો તો આરામ કરવા લાગ્યો હશે. જણાવી દઇએ કે, વાઘને રેસ્ક્યૂ કરતા સમયે જાણ થઇ કે તે ભૂખ્યો છે.
— Wildlife Trust India (@wti_org_india) July 18, 2019
જણાવી દઈએ કે, પૂરના કારણે અસમમાં આવેલું કાઝીરંગા નેશનલ પાર્ક પ્રભાવિત થયુ છે. કાઝીરંગા નેશનલ પાર્કનો 90% ભાગ પાણીમાં ડૂબી ગયો છે. એવામાં પાર્કમાં રહેતા પ્રાણીઓને ખાવાપીવાની અને રહેવાની સમસ્યા નડી રહી છે. પ્રાણીઓને બહાર અને સુરક્ષિત વિસ્તારમાં પહોંચી રહ્યા છે.