ઉત્તરપ્રદેશના પિલીભીતમાં આવેલા પૂરનપુર વિસ્તારમાં મટેના ગામમાં વાઘણે હુમલો કરતા 9 લોકો ઘાયલ થયા છે. જ્યારે ગ્રામજનોએ જીવ બચાવવા વાઘણ પર ડંડા વરસાવતા ગંભીર રીતે ઘાયલ વાઘણનું મોત નિપજ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ મટેના ગામમાં ખેડૂતો ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે સમયે ઝાડીઓમાં છૂપાયેલી વાઘણે એક ખેડૂત પર હુમલો કરી દીધો હતા. જેથી ખેતરમાં કામ કરતા અન્ય લોકોએ વાઘણ પર હુમલો કર્યો હતો અને ખેડૂતને બચાવી લીધો હતો.
જોકે બાદમાં વાઘણે હુમલો કર્યો હોવાની ચર્ચાએ જોર પકડતાં ગ્રામજનો ખેતરમાં દોડી આવ્યા હતા અને હથિયારો તેમજ ડંડા વડે વાઘણ પર હુમલો કર્યો. જેમાં વાઘણે 9 જેટલા લોકોને ઘાયલ કર્યા હતા. તો સામે વાઘણ પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તો બીજી તરફ ગ્રામજનોએ વન વિભાગને પણ જાણ કરી હતી. જો કે ટીમ મોડી પહોંચતા વાઘણનું મોત નિપજ્યું હતું.