20 થી22 જાન્યુ.એ રાજ્યમા વાદળછાયુ વાતાવરણ રહેવા સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાય તેવી પૂરી સંભાવના છે. દરમિયાન વિષમ હવામાનની વિપરીત અસરને કારણે સ્હેજ માવઠુ થવાની સંભાવના
આગામી સપ્તાહે વાતાવરણ વાદળીયું,વધશે ઠંડી
જીરુ,શાકભાજીના પાકોમા નુકશાનની સંભાવના
કપાસ-દિવેલાના પાકોમા ખાખરીની પણ શક્યતા
ગુજરાતના વાતાવરણમાં ફરીએકવાર મોટો પલટો આવવાની સંભાવનાઓને નકારી શકાય તેમ નથી. હવામાનના જાણતલ એવા અંબાલાલ પટેલે કહ્યું છ કે, આગામી 20 થી22 જાન્યુ.એ રાજ્યમા વાદળછાયુ વાતાવરણ રહેવા સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાય તેવી પૂરી સંભાવના છે. દરમિયાન વિષમ હવામાનની વિપરીત અસરને કારણે સ્હેજ માવઠુ થવાની સંભાવનાને નકારી શકાય નહિ. આ જ પરિણામે જીરુ , શાકભાજીના પાકોમા નુકશાનની સંભાવના છે. ઉભા કૃષિપાકોમા પાક સંરક્ષણ ના પગલા લેવાની સલાહ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપી છે. વધુમાં કપાસ અને દિવેલાના પાકો મા ખાખરી આવાની શક્યતા રહેશે કેટલાક પાક કોકડાઇ જવાની શક્યતા રહેશે તો મરચા જેવા પાકમા કોકડવા આવશે અને પહોળા પાન વાળા પાકમાં હીમની અસર થવાની શક્યતા પણ જોવાઈ રહી છે.
જાન્યુ. ફેબ્રુઆરીમાં શું રાખશો તકેદારી
મહિનાના અંતે એટલે કે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં અને ફેબ્રુઆરી માસમાં હીમપ્રપાતની પણ સંભાવનાઓ છે. ખેડૂતો માટે આવા સમયે પિયત આપવું સારુ રહેશે. હમણાં જો કે, આગામી બે દિવસ પછી ઠંડીમા ક્રમશ ઘટાડો જોવા મળશે. પણ 20 થી 25 જાન્યુ. દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં છેક રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગ સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે ને કરા પણ પડવાની સંભાવના છે.આ જ કારણે ગુજરાતનું પણ હવામાન પલટાઈ શકે છે. હાલ મા થતા વાદળોના લીધે શિયાળુ હવામાન ઉપરથી આગામી ચોમાસાનો અંદાજ માંડતા આગામી ચોમાસું સારુ રહેવાની શક્યતા છે.