ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસનું સંકટ યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં જ ગુજરાત સહિત દેશભરમાં તીડના આક્રમણથી ખેડૂતોના પાકને ભારે નુકસાન જોવા મળ્યું હતું. જો કે રાજ્યના કૃષિમંત્રી આર. સી. ફળદુએ આગામી જૂનના અંતમાં કે જુલાઇમાં તીડના આક્રમણની સંભાવના વ્યક્ત કરી છે.
તીડના આક્રમણને લઈને કૃષિમંત્રીનું નિવેદન
તીડના નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરાયો છે
જૂનના અંતમાં કે જુલાઈમાં તીડના આક્રમણની સંભાવના
રાજ્યમાં એક તરફ કોરોના મહામારીના સંકટ જોવા મળી રહ્યું છે ત્યારે તીડના આક્રમણને લઇને રાજ્યાના કૃષિમંત્રી આર. સી. ફળદુના નિવેદનને લઇને ખેડૂતોની ચિંતામાં ફરી વધારો જોવા મળ્યો છે.
રાજ્યના કૃષિમંત્રી આર. સી. ફળદુએ કહ્યું કે માર્ચ મહિનામાં તીડનું આક્રમણ થયું હતું. જેને લઇને તંત્ર દ્વારા તીડના નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
જો કે કૃષિમંત્રી ફળદુએ રાજ્યમાં તીડનું ફરી આક્રમણ થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. કૃષિમંત્રીએ કહ્યું કે જૂનના અંતમાં કે જુલાઇમાં તીડના આક્રમણની શક્યતા છે. ત્યારે તીડના આક્રમણને લઇને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના 9 જિલ્લાઓમાં તીડના ટોળા જોવા મળ્યાં હતા
રાજ્યમાં થોડા સમય પહેલા તીડનું સંકટ જોવા મળ્યું હતું. જેમાં રાજ્યના 9 તીડના ટોળો જોવા મળ્યાં હતાં. અમરેલી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, બોટાદ, ભાવનગર અને ગાંધીનગર જિલ્લામાં તીડના ટોળાં જોવા મળ્યાં હતા.