તિબ્બતના પીએમ લોબસંગ સાંગેયે કહ્યું કે, ગલવન વેલી પર ચીનનો અધિકાર નહીં. જો ચીની સરકાર એવો દાવો કરી રહી છે તો આ ખોટું છે. ગલવાન નામ જ લદ્દાખનું આપેલું છે, પછી આવા દાવાનો કોઇ મતલબ નથી રહેતો.
ચીન અહીંસાની માત્ર વાતો કરે છે, પાલન નહીંઃ પીએમ સાંગેય
જ્યાં સુધી તિબ્બતનો મુદ્દો હલ નહીં થાય ત્યાં સુધી રહેશે તણાવ
ભારત અને ચીન વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ
પીએમ લોબસંગ સાંગેયે કહ્યું કે, અહિંસા ભારતની પરંપરા છે અને અહીં તેનું પાલન થાય છે. ત્યારે ચીન અહિંસાની વાતો કરે છે, પરંતુ પાલન નહીં. તે હિંસાનું પાલન કરે છે. તેનો પુરાવો તિબ્બત છે. ચીને હિંસાના દમ પર જ તિબ્બત પર કબજો કર્યો છે.
આ વિવાદ સામે લડવાને લઇને સાંગેયે કહ્યું કે, તિબ્બતને જૉન ઑફ પીસ બનાવવું પડશે. બન્ને સરહદો આર્મી ફ્રી હોવી જોઇએ, ત્યારે શાંતિ થશે. ભારત અને ચીન વચ્ચે તિબ્બત છે અને જ્યાં સુધી તિબ્બતનો મુદ્દો હલ નથી થતો, ત્યાં સુધી તણાવની સ્થિતિ બની રહેશે.
તેમણે કહ્યું કે, ચીન એશિયામાં નંબર-1 બનાવવા માંગે છે. એશિયામાં તેના મુકાબલે ભારત, ઇન્ડોનેશિયા અને જાપાનથી છે, એટલા માટે તેઓ હથેલીની 5 આંગળી (લદ્દાખ, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ, નેપાલ, ભૂટાન)ને કાબૂ કરવા માંગે છે. પહેલા તેણે ડોકલામમાં નાપાક હરકતો કરી, હવે લદ્દાખમાં પોતાની ગતિવિધિઓ વધારી દીધી છે. ત્યારે, નેપાળે પણ ભારતના સંબંધો થોડા બગાડ્યા છે.
પીએમ સાંગેયે કહ્યું કે, આર્થિક મોર્ચે ચીનને પાઠ ભણાવી શકાય છે, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષી અને આર્થિક રૂચિમાંથી પણ તમારે પસંદ કરવાનું છે. રાષ્ટ્રીય સુરક્ષા સૌથી ઉપર છે. પીએમ મોદીએ કેટલાક કરાર રદ્દ કરીને ચીનને સંદેશ આપી દીધો છે. સાંગેયે કહ્યું કે, ભારત-ચીન વચ્ચે જે વેપાર ચાલી રહ્યો છે, તેનાથી ચીનને ડબલ, ટ્રિપલ ફાયદો થઇ રહ્યો છે. તેવામાં વેપાર પર નિયંત્રણથી અસર થવી સ્વાભાવિક છે.