જ્યોતિષ શાસ્ત્રમાં દરેક દિવસને લઇને અમુક નિયમો અંગે જણાવવામાં આવ્યું છે. જો આ નિયમોનું પાલન ના કરવામાં આવે તો અમુક ગ્રહ નબળા પડવા લાગે છે. આ સાથે જ જાતકે દરેક પ્રકારના દોષનો સામનો કરવો પડે છે. ગુરૂવારને લઇને પણ અમુક નિયમ જણાવવામાં આવ્યાં છે.
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂ ગ્રહને મજબૂત કરવાના આ છે ઉપાય
ગુરૂવારે આ કામો ના કરવા જોઈએ, રહેવુ જોઈએ દૂર
ભગવાન વિષ્ણુની કરવી જોઈએ આરાધના
ગુરૂવારે વાળ અને નખ પણ ના કાપવા જોઈએ
ઘરના મોટા વડીલ અથવા મહિલાઓને કહેતા સાંભળ્યું હશે કે ગુરૂવારના દિવસે વાળ ના ધોવા જોઈએ. આ સાથે જ આ દિવસે વાળ કાપવા અને નખ પણ ના કાપવા જોઈએ. પરંતુ ખૂબ ઓછા લોકો તેની પાછળનું કારણ જાણે છે. એવુ માનવામાં આવે છે કે જો મહિલાઓ ગુરૂવારના દિવસે માથુ ધોવે છે અથવા પછી નખ અને વાળ કાપે છે તો તેનાથી માં લક્ષ્મી નારાજ થાય છે અને ઘર છોડીને જતી રહે છે. આવુ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. માં લક્ષ્મીની બહેન અલક્ષ્મીનો વાસ થવા લાગે છે. માણસના ઘરમાં દરિદ્રતા આવે છે. ગુરૂવારનો દિવસ લક્ષ્મી નારાયણનો દિવસ હોય છે. આ દિવસે ધાર્મિક ગ્રંથોમાં વાળ ધોવા, વાળ કાપવા અને નખ કાપવા, દાઢી બનાવવી વગેરે કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
તેથી ગુરૂવારે વાળ ના ધોવા જોઈએ
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂવારને પતિ અને સંતાનનો કારક માનવામાં આવ્યો છે. જો આ દિવસે કોઈ મહિલા વાળ ધોવે છે, તો તેનો ગુરૂ નબળો થાય છે. જેનો પ્રભાવ મહિલાના પતિ અને સંતાન પર જોવા મળે છે. તો વાળ કાપવા અને નખ કાપવા પાછળનુ કારણ એ છે કે ગુરૂવારે આ કામ કરવાથી ધન હાનિ થાય છે અને માણસની આર્થિક સ્થિતિ નબળી થાય છે.
ગુરૂવારના ઉપાય
ગુરૂવારના દિવસે ઉપર જણાવવામાં આવેલા કામને કરતા પહેલા દૂર રહેવુ જોઈએ. ખાસ કરીને મહિલાઓએ આ કાર્ય ના કરવુ જોઈએ.
બૃહસ્પતિ દેવને ખુશ કરવા માટે માણસે તે દિવસે પીળા રંગના કપડા પહેરવા જોઈએ. આવુ કરવાથી જાતકની કુંડળીમાં ગુરૂ ગ્રહ મજબૂત થાય છે.
ભગવાન વિષ્ણુની પૂજા-આરાધના કરવી જોઈએ.
આ દિવસે પૂજાના સમયે ભગવાન વિષ્ણુને પીળા રંગની વસ્તુનો ભોગ અર્પણ કરવો. આ સાથે કેળા પણ અર્પણ કરી શકો.