હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ વરસાદની આગહી કરવામાં આવી છે. દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તો 10થી 12 મે સુધી આછા વરસાદની સાથે સાથે થંડર શાવરની આગાહી કરાઇ છે. બનાસકાંઠા, રાજકોટ, કચ્છ, પાટણ, અમરેલી, અરવલ્લી, સાબરકાંઠા, અને સુરેન્દ્રનગર જિલ્લામાં અસર થશે.
ફણી વાવઝોડાએ ઓડીશામાં તબાહી મચાવ્યા બાદ ગુજરાતમાં હવે વાવાઝોડા ની આગાહી હવામાને કરી છે. દક્ષિણ રાજસ્થાનમાં સર્જાયેલા સાઇકલોનિક સરક્યુલેશનના કારણે ૧૦ અને ૧૧ મેના રોજ પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં વાવઝોડું ત્રાટકશે. આ સાથે વરસાદી ઝાપટુ પણ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ સાથેના વાવાઝોડાની આગાહી કરી છે. આ વાવાઝોડાના પવનની ઝડપ 30થી 40 કિમીની હશે. જેની અસર બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ સૌરાષ્ટ્રમાં જોવા મળશે. જેથી નાગરિકોએ આ ત્રણ દિવસ દરમ્યાન પુર્વ તૈયારી અને કાળજી રાખવી પડે તેવી નોબત આવી છે.
હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોમાં વધી ચિંતા
રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં વરસાદ થાય તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
11 મે દરમિયાન રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડી શકે છે. જેમાં રાજકોટ, પોરબંદર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઝરમર વરસાદ થઈ શકે છે. જેને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ છવાઈ ગયું છે. તો છેલ્લા બે દિવસમાં અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીમાં પણ ઘટાડો નોંધાયો છે. જેથી લોકોને આંશિક રાહત પણ મળી છે.