સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી જ નેપોટિઝ્મ અને ઈનસાઈડર, આઉટસાઈડરને લઈને વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે, સુશાંતને સાઈડલાઈન કરવામાં આવી રહ્યો હતો. ત્યારે સોશિયલ મીડિયા પર સુશાંતના ઘણાં વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. એવામાં તેનો એક જુનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે બોલિવૂડમાં ગોડફાધરને લઈને વાત કરી રહ્યો છે.
સુશાંતના નિધન બાદથી નેપોટિઝ્મને લઈને વિવાદ ચાલુ છે
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે સુશાંતના જૂના વીડિયો
સુશાંતે એકવાર જણાવી હતી બોલિવૂડમાં ગોડફાધરને લઈને આ વાત
સુશાંત હવે આપણી વચ્ચે નથી. તે તેની પાછળ અનેક સવાલો છોડીને ગયો છે. ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ અને ગોડફાધર વિશે હમેશાં ચર્ચા થતી રહી છે. સુશાંતના આ વીડિયોમાં તેને ગોડફાધરને લઈને સવાલ પૂછવામાં આવે છે કે, આજે તે જે ઉંચાઈ પર છે ત્યાં પહોંચવા માટે શું કોઈ ગોડફાધરની જરૂર છે. તો સુશાંત જવાબ આપતા કહે છે કે, બિલ્કુલ નહીં. જો જરૂર હોત તો આજે હું અહીં ના પહોંચ્યો હોત. ફાધર હોય છે અને ગોડ હોય છે. ગોડફાધરને મિલાવવાનું કામ માણસોનું છે. મારી લાઈફમાં ગોડ પણ છે અને ફાધર પણ છે. જે મોટા શીખવાડે છે તેમનાથી હું શીખું છું.
ઉલ્લેખનીય છે કે, સુશાંતે 14 જૂને તેના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેના આમ અચાનક નિધનથી તેના પરિવાર, ફેન્સ અને ઈન્ડસ્ટ્રીને બહુ મોટો આંચકો લાગ્યો હતો. સુશાંત ડિપ્રેશનની ટ્રીટમેન્ટ લઈ રહ્યો છે. જોકે, તેના ડિપ્રેશન પાછળનું શું કારણ હતું પોલીસ તે જાણવા માટે દરેક એંગલથી તપાસ કરી રહી છે અને તેના નજીકના લોકોનું નિવેદન નોંધી રહી છે.