29 સપ્ટેમ્બરે 2016એ પીઓકેમાં 2 થી 4 કિલોમીટર સુધી ઘૂસીને દુશ્મોનોને મોતના ઘાટે ઊતારનાર સર્જિકલ સ્ટ્રાઇક ઑપરેશન ભારતીય કમાન્ડો માટે ખૂબ કઠિન હતું. સેનાના પેરા કમાન્ડોના શૂરવીર આ સમગ્ર ઑપરેશનમાં પોતાના ખભા પર 40 કિલોનો ભાર લાદેલો હતો. જેમાં 25 કિલોના હથિયાર હતા અને 15 કિલો જવાન માટે જરૂરી સામાન હતો.
સર્જિકલ સ્ટ્રાઇકના 3 વર્ષ આજે થયા પૂર્ણ
દરેક કમાન્ડોના ખભા પર હતો 40 કિલોનો ભાર
સર્જિકલ સ્ટ્રાઇક માટે કમાન્ડોનું ડાયટ પ્લાનિંગ પણ ગજબ હતું
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇકને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ ઓપરેશનને સૈન્યના એક ઉચ્ચઅધિકારીએ સર્જિકલ સ્ટ્રાઇકને લઇ કહ્યું કે, આ ઓપરેશન માટે કમાન્ડોની ડાયટથી લઇ તમામ બાબતોનું ધ્યાન રખાયું હતું. સર્જિકલ સ્ટ્રાઇકમાં જેટલા પણ કમાન્ડો હતા તે તમામ પાસે 25 કિલોના હથિયાર હતા.
પરત ફરતા પણ પાંચ આંતકીઓનો કર્યો ઠાર
ઓપરેશન ખતમ કર્યા બાદ પરત ફરતી વખતે પણ ભારે ફાયરિંગ થયું હતું. ત્યારે પાકિસ્તાની ચોકી પાસે આતંકીઓ હતા. ત્યારે જવાનોની એમની સાથે અથડામણ થઇ ગઇ હતી અને ભારતીય કમાન્ડોએ એ આતંકીઓનો ઠાર કર્યો હતો.
સર્જિકલ સ્ટ્રાઇક પહેલા કરાઇ હતી રેકી
સર્જિકલ સ્ટ્રાઇકને લઇ સેનાના ઉચ્ચઅધિકારીએ કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇક પહેલા રેકી પણ કરાઇ હતી. પરંતુ સાથે જ હુમલા દરમિયાન જમીન અને આકાશ પરથી નજર રાખવામાં આવી હતી. ઉપરાંત કમાન્ડોની કેપ પર માઇક્રો કેમેરા હતા અને આકાશ પરથી નજર રાખવા માટે અનમેન્ડ એરિયલ વ્હીકલ ઉપકરણથી ધ્યાન રખાઇ રહ્યું હતું.
ગજબનું હતું ડાયટ પ્લાનિંગ
સાથે જ સર્જિકલ સ્ટ્રાઇક માટે કમાન્ડોનું ડાયટ પ્લાનિંગ પણ ગજબ હતું. હુમલા કર્યા પહેલા કમાન્ડોએ 72 કલાકમાં અનેક કલાકો ભૂખ્યા રહેવાનું હતું. ડાયટમાં સોલિડ ફૂડ ઓછું, લિક્વિડ વધારે હતું. હાઇ કેલોરી ડાયટ એ રીતે હતી કે કેલોરી પણ પૂરી મળે અને ઉંઘ પણ દૂર રહે. ઉપરાંત ઓપરેશન ડાયટ પેકિંગમાં પ્લાસ્ટિક રૈપર અને પ્લાસ્ટિક બોટલના ઉપયોગ પર પ્રતિબંધ હતો. જેથી રૈપર અને પ્લાસ્ટિક બોટલ ખોલતી સમયે કોઇ પ્રકારનો અવાજ ના આવે.