દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવતા ચકચાર, એક જ પરિવારની ત્રણ મહિલાઓએ કર્યો આપઘાત
દ્વારકાના ભાણવડમાં સામૂહિક આપઘાત
એક જ પરિવારની ત્રણ મહિલાનો આપઘાત
સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ
દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં સામૂહિક આત્યહત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. એક પરિવારની ત્રણ મહિલાઓએ અગ્મય કારણોસર આપઘાત કરી લેતા પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે,
દ્વારકાના ભાણવડમાં સામૂહિક આપઘાત
આ પરિવાર મૂળ જામનગરના શંકર ટેકરી વિસ્તારોનો રહેવાસી હોવાનું જણાઈ રહ્યં છે, થોડા દિવસ પહેલા જ આ પરિવાર દ્વારકાના ભાણવડ ખાતે સંબંધીને ત્યાં રહેવા માટે આવ્યો હતો જે બાદ અચાનક પરિવારની ત્રણ મહિલાઓએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે.
એક જ પરિવારની ત્રણ મહિલાનો આપઘાત
સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આપી પહોંચી છે અને ત્રણેય મૃતકોને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, જોકે પોલીસને હજુ સુધી આપઘાત પાછળું કારણ જાણવા મળ્યું નથી ત્યારે પોલીસ દ્વારા પરિવારજનોની અને આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે,
સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ
મહત્વનું છે કે રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, દિવસે દિવસે હત્યા, અપહરણ, આપઘાત અને દુષ્કર્મ કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે દ્વારકાના ભાણવડમાં એક સાથે ત્રણ મહિલાઓએ આપઘાત કરી લેતા સમગ્ર પંથરમાં અરેરાટી વ્યારી ગઈ છે, તો પરિવારમાં પણ શોકનો માહોલ પ્રસરી ગયો છે.