જીવનની જંજાળમાં કદાચ એવું કોઇ હોય જે ધન અને વૈભવ કમાવવા ન માંગે. કદાચ એક સમય આવે છે જ્યારે જીવનમાં બધુ મેળવી લીધા બાદ એક ખાલીપો રહે છે અને ત્યારે મન શાંતિ શોધે છે. કદાચ તેમની માનસિક શાંતિ અને અધ્યાત્મની ચાહમાં આવા કેટલાક લોકો છે, જે સાધુ-સાધ્વી અથવા જૈન ભિક્ષુ બનવાનો નિર્ણય કરી ચૂક્યા છે. ત્યારે મૂળ બનાસકાંઠાના ડીસાનો પરિવાર તમામ ધન-ઐશ્વર્ય છોડીને દીક્ષા ગ્રહણ કરવાની અને બધુ છોડીને ભિક્ષુ બની ગયા.
હોંગકોંગમાં ડાયમંડનો ધંધો છોડીને બનાસકાંઠાની એક પરિવારની ત્રણ મહિલાઓ લેશે દીક્ષા
હું ભારત આવી તો નાની સાથે દેરાસર ગઈ પછી રેસ્ટોરન્ટ અને ફિલ્મો જોવાનું ભૂલી ગઇઃ પરીશી
હોંગકોંગ નિવાસી પરીશી શાહ(23) પોતાની નાની ઇંદુબેન શાહ(73) અને માં હેતલબેન સાથે રામચંદ્ર સમુદાયની સાધ્વી હિતદર્શનીશ્રીજીના માર્ગદર્શનમાં દીક્ષા લેવા માટે તૈયાર થઇ ગઇ છે. ત્રણેય મહિલાઓ હોંગકોંગની એક જાણીતી ડાયમંડ ફર્મના પરિવારથી જોડાયેલ છે. તેમણે પૈસા અને વૈભવને બહુ નજીકથી જોયું છે, પરંતુ તેમને ધન આકર્ષિત ન કરી શક્યું. તેઓ તપસ્યાની આભાથી આકર્ષિત થયા અને હવે તેમણે પોતાનું આગામી સમગ્ર જીવન જૈન સાધ્વીઓના રૂપમાં વિતાવવાનો નિર્ણય કરી લીધો છે.
હું ભારત આવી તો નાની સાથે દેરાસર ગઈ પછી રેસ્ટોરન્ટ અને ફિલ્મો જોવાનું ભૂલી ગઇઃ પરીશી
ઉત્તરગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા અને ધાનેરામાં રહેનારા પરિવારે તેમના દીક્ષા ગ્રહણ સમારોહની તૈયારી શરૂ કરી દીધી છે. પરીશીએ જણાવ્યું કે તેણે હોંગકોંગથી સાયકોલોજીમાં ડિગ્રી લીધી છે. તેણે સ્કૂલનો અભ્યાસ પણ હોંગકોંગમાં કર્યો છે જ્યાં તેના પિતા ભરત મહેતા ડાયમંડનો બિઝનેસ કરે છે. તેનો ભાઈ જૈનમ USમાં ડેટા સાયન્સનો અભ્યાસ કરી રહ્યો છે. પરીશીએ જણાવ્યું કે, હું ભારત આવી તો નાની સાથે દેરાસર ગઈ. અહીં મેં પ્રવચન સાંભળ્યા. હું એટલી પ્રભાવિત થઈ કે હું રેસ્ટોરન્ટ જવાનું અને ફિલ્મો જોવાનું ભૂલી ગઈ.
દીકરીના નિર્ણયની જાણ થતા જ માતા દોડી આવ્યા ભારત
પરીશીએ કહ્યું કે, અમે લોકો સતત સાધ્વીના પ્રવચનો સાંભળવા લાગ્યા. સાધ્વીઓ વચ્ચે સમય પસાર કરવા દરમિયાન મને કંઇક અલગ અહેસાસ થવા લાગ્યો. મને જ્ઞાન થયું કે કોઈપણ વ્યક્તિને તેની અંદર જ સાચી ખુશી મળે છે. ત્યારબાદ મેં સાધ્વી બનવાનો નિર્ણય લીધો. જ્યારે પરીશીના માતા હેતલબેનને આ અંગે જાણ થઈ તો તેઓ તાત્કાલિક હોંગકોંગથી મુંબઈ આવી પહોંચ્યા. તેમણે કહ્યું કે મારી માતા અને દીકરીના નિર્ણયની જાણ થતા જ હું તરત મુંબઈ આવી ગઈ. મેં વિચાર્યું હતુ કે હું મારા દીકરા અને દીકરીના લગ્ન બાદ સાધ્વી બની જઇશ, પરંતુ હવે મારે રાહ નથી જોવી. હું દીકરી સાથે દીક્ષા લેવા જઇ રહી છું.