વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે. દેવ પક્ષ, આચાર્ય પક્ષ અને સત્સંગી પક્ષ મેદાને છે.
વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણી જાહેર
14 માર્ચના વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણી
લાલજી નૃગેન્દ્રપ્રસાદનું ભાવિ ચૂંટણીમાં થશે નક્કી
સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી માટે મોટા સમાચાર આવી રહ્યાં છે. વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણી જાહેર થઇ છે. 14 માર્ચના વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાશે. લાલજી નૃગેન્દ્રપ્રસાદનું ભાવિ ચૂંટણીમાં નક્કી થશે. વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે. દેવ પક્ષ, આચાર્ય પક્ષ અને સત્સંગી પક્ષ મેદાને છે.
20 વર્ષથી દેવપક્ષનું વડતાલ ટેમ્પલ બોર્ડમાં શાસન છે. ગત ચૂંટણીમાં આચાર્ય પક્ષની થોડા મતોથી હાર થઇ હતી. આચાર્ય પક્ષ સત્તા પર આવે તો જ નૃગેન્દ્રપ્રસાદ આચાર્ય બની શકે છે. નિત્યસ્વરૂપ સ્વામીએ આચાર્ય પક્ષનો સાથ છોડતા દેવપક્ષને ફાયદો થઇ શકે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની નજર 14 માર્ચના રોજ યોજાનાર ચૂંટણી પર છે.