દક્ષીણ ગુજરાતના વડા મથક સુરતના માંગરોળ સહીત સાવા, નંદાવ, મોટીપારડી ગામના લોકોને પાણી પુરતુ નહી મળતું હોવાની ફરિયાદો વ્યાપક,મામલતદારને કરાઈ રજૂઆત.
દક્ષિણના માંગરોળ પંથકના ત્રણ ગામ પાણી વિહોણા
ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે પારાયણ શરુ
ઉદ્યોગને ગેરકાયદે પાણી પૂરવઠો- ગ્રામજનોની ફરિયાદ
દક્ષીણ ગુજરાતના વડા મથક સુરતના માંગરોળમાં પાણી પુરતુ નહી મળતું હોવાની ફરિયાદો વ્યાપક બની છે. હજુ તો ઉનાળાની શરૂઆત જ થઇ છે ત્યાં પાણીની બૂમરાણ થી આશ્ચર્ય ફેલાયું છે. માંગરોળના સાવા, નંદાવ, મોટીપારડી ગામના લોકોની મામલતદારને ફરિયાદ કરી છે અને પાણીનું સુચારુ આયોજન કરવા રજૂઆત કરી હતી.
દક્ષીણ ગુજરાતના માંગરોળમાં પાણીની વ્યાપક ફરિયાદો છે. સ્થાનિકોનું કહેવું છે કે, ગ્રામજનોનું પાણી ગેરકાયદેસર રીતે ઉદ્યોગને અપાઈ રહ્યું છે. આ પરિણામે ગ્રામજનો અને ગ્રામીણ વિસ્તારો પાણી વિહોણા રહી જાય છે. ગ્રામજનોએ મામલતદારને કરેલી ફરિયાદમાં વ્યંકટેશ ઇન્ટરનેશનલ નામના ઔદ્યોગિક એકમને ગેરકાયદે પાણી અપાતુ હોવાનો દાવો કરી રજૂઆત કરી છે. પુરવઠા યોજનામાંથી પીવાનું પાણી નહીં મળતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. આ જ પરિણામે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી પાણીની ટાંકીઓ બિનઉપયોગી પડી રહી છે
ગ્રામજનોનું કહેવું છે કે, જૂથ પાણી પુરવઠા યોજનાની લાઇનથી ઉદ્યોગને પાણી અપાય છે. ઉનાળાની શરૂઆતમાં જ 3 ગામના લોકોને પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ જ કારણોસર ગ્રામવાસીઓએ માંગરોળ મામલતદારને લેખિતમાં ફરિયાદ કરી, પાણીની સમસ્યા તુરંત હલ કરવા રજૂઆત કરી છે.