શ્રીનગરઃ જમ્મુ કશ્મીરમાં આતંકીઓ પંચાયતી ચૂંટણીને પ્રભાવીત કરવા અને લોકોમાં ભય પેસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ નાપાક ઈરાદાઓ પર ભારતીય સેનાએ પાણી ફેરવી દીધું હતું. આતંકીઓને ઘેરાવો કરીને પકડવાની કોશિશ કરતા આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. બાદમાં આ અથડામણમાં સેનાએ 1 આતંકીને ઠાર કર્યો હતો.
કુપવાડામાં અન્ય આતકીઓ બોર્ડર પાર કરવાનો પ્રયાસ કરતા હતા તે સમયે સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. સેના અને આતંકીઓ વચ્ચે આશરે બે કલાક અથડામણ ચાલી હતી.
આ અથડામણ બાદ સેનાએ કુપવાડા સહીતના વિસ્તારમાં સર્ચ વધારી દીધું છે. મૃતક આતંકીઓ પાસેથી 5 પિસ્તોલ 10 પિસ્ટલ મેગ્જિન્સ પિસ્તોલની 60 ગોળીઓ એક AK 47 15 હેન્ડગ્રેનેડ કબજે કર્યા છે.