જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં સેનાને મંગળવારની રાતે આતંકીઓ છુપાયા હોવાની સુચના મળી હતી. જેને લઇને સુરક્ષાબળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો. જો કે સુરક્ષાબળોના ઘેરાવ બાદ આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. જેને લઇને સેનાએ જવાબી કાર્યવાહી કરતાં ત્રણ આતંકીને ઠાર માર્યા હતા.
આતંકીઓ સાથેની અથડામણમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા
હિઝબુલનો કમાન્ડર નાસિર ચાદરૂ ઠાર મરાયો
મંગળવારે પુલવામા ચોક પર સુરક્ષા બળો પર ગ્રેનેડથી કરાયો હતો હુમલો
સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા
અનંતનાગમાં આતંકીઓ છુપાયા હોવાની સૂચના મળતાં સેનાએ આ વિસ્તારને ઘેરી લીધો હતો. જો કે આતંકીઓ સાથેની અથડામણમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. હાલ સેના દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે.
પોલીસે હિજબુલના કમાન્ડરના મોતની કરી પુષ્ટી
સેના અને આતંકી વચ્ચે અનંતનાગમાં થયેલી અથડામણમાં જે ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે તેમાં એક હિઝબુલનો કમાન્ડર નાસિર ચાદરૂ ઠાર મરાયો છે. પોલીસે જણાવ્યું છે કે સેના દ્વારા હજી પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
પુલવામાં મંગળવારે સુરક્ષા બળો પર કરાયો હતો હુમલો
દક્ષિણી કાશ્મીરમાં આતંકીઓે મંગળવારે સતત બીજા દિવસે હુમલો કર્યો હતો. સોમવારે શોપિયાંમાં સફરજન લોડ કરી રહેલા ટ્રક ડ્રાઇવરની હત્યા કર્યા બાદ મંગળવારે સાંજે પુલવામા ચોક પર સુરક્ષા બળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો.
Jammu and Kashmir: Encounter underway in Pazalpora area of Anantnag. (Visuals deferred by unspecified time) pic.twitter.com/7oX3yFLbiy