જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે એન્કાઉન્ટર અનંતનાગના રુનીપોરા વિસ્તારમાં થયું હતુ.
એક રાઇફલ અને 2 પિસ્તોલ મળી છે
ઘટના સ્થળે પોલીસ કાર્યવાહી ચાલુ છે
પોલીસ, સેના અને 19 રાષ્ટ્રીય રાઈફલ્સ અને સીઆરપીએફની સંયુક્ત ટીમોએ ઓપરેશન પાર પાડ્યું
પોલીસના જણાવ્યા મુજબ આ અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓની ઓળખ હજુ થઈ નથી. આજના મુકાબલા સાથે જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે સુરક્ષા દળો દ્વારા 116 આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમાંથી આ મહિનામાં જ 38 આતંકવાદીઓ માર્યા ગયા છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ રુનીપોરા વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહીમાં પોલીસ, સેના અને 19 રાષ્ટ્રીય રાઈફલ્સ અને સીઆરપીએફની સંયુક્ત ટીમોના રુનીપોરા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશનમાં આતંકવાદીઓને ઢેર કર્યા હતા.
સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લેવાનું શરૂ કરતાં જ વિસ્તારમાં છુપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતુ. આર્મી પોલીસ અને સીઆરપીએફે બદલામાં કાઉન્ટર ફાયરિંગ કર્યું હતુ. સેનાએ ઘટના સ્થળેથી હથિયારો પણ કબજે કર્યા છે.
પકડાયેલા શસ્ત્રમાં એક રાઇફલ અને 2 પિસ્તોલ છે. ઘટના સ્થળે પોલીસ કાર્યવાહી ચાલુ છે. પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો છે અને ત્યાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.