જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ગુરુવારે રાત્રે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જે દરમિયાન ત્રણ આતંકીઓના મોતના સમાચાર છે. બીજી બાજુ આ એન્કાઉન્ટર દરમિયાન ચાર જવાન પણ ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી છે. ખાસ વાત એ છે કે સુરક્ષાદળો અને પોલીસની કાર્યવાહીમાં છેલ્લા 24 કલાકમાં 9 આતંકવાદીઓ માર્યા ગયા છે. અગાઉ દક્ષિણ કાશ્મીરના બે જિલ્લામાં પણ 6 આતંકવાદીઓનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું.
A terrorist identified as Suhail Ahmad Rather, affiliated with terror outfit JeM along with 2 other unidentified terrorists neutralized in an encounter with security forces in Srinagar late night. Incriminating material including arms and ammunition recovered: IGP Kashmir
આ અથડામણમાં ત્રણ પોલીસકર્મી અને એક CRPFનો જવાન પણ ઘાયલ થયો
ગુરુવારે શ્રીનગરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન 3 આતંકીઓ માર્યા ગયા છે. મીડિયા અહેવાલો અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે, "પ્રારંભિક ગોળીબારમાં ત્રણ પોલીસકર્મીઓ અને CRPFનો એક જવાન ઘાયલ થયા હતા, જેમને બાદમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે."ઉલ્લેખનીય છે કે, ગત રોજ દક્ષિણ કાશ્મીરમાં બે એન્કાઉન્ટરમાં બે પાકિસ્તાની નાગરિકો સહિત છ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે જેઓ 13 ડિસેમ્બરે શ્રીનગરની બહાર પોલીસ બસ પર હુમલો કરવામાં સામેલ હતા.
બુધવારે પણ 4 આંતકવાદીઓ માર્યા ગયા
અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે રાત્રે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક પાકિસ્તાની નાગરિક સહિત જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. તે જ સમયે, બુધવારે સાંજે કુલગામ જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં ત્રણ અન્ય આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમણે કહ્યું કે અનંતનાગ ઓપરેશન દરમિયાન બે જવાન અને એક પોલીસકર્મી ઘાયલ થયા છે.
જસબીર સિંહે પોતાના દેશનું બલિદાન આપ્યું
જીઓસીએ કહ્યું કે ઓપરેશન દરમિયાન જવાન જસબીર સિંહ પણ શહીદ થયા છે. નોવગામમાં, ખૂબ જ ગીચ વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, ત્યારે સેનાના બે જવાનો અને જમ્મુ અને કાશ્મીર પોલીસના એક કર્મચારી દીપક શર્માને ગોળી વાગી હતી. એક જવાન શહીદ થયો છે, જ્યારે અન્ય બેની હાલત સ્થિર છે.
આ મહિનામાં 5 પાકિસ્તાનીઓ સહિત 24 આતંકવાદીઓ માર્યા ગયા
આઈજી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં પાંચ પાકિસ્તાનીઓ સહિત 24 આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે યુએસ નિર્મિત M-4 કાર્બાઈન, 15 AK-47, બે ડઝન પિસ્તોલ, ગ્રેનેડ અને IED મળી આવ્યા છે. પાકિસ્તાન અહીં અશાંતિ ફેલાવવા માંગે છે. સુરક્ષા દળોએ આ વર્ષે જૈશના નંબર વન અને નંબર ટુને મોટો ફટકો આપ્યો છે.
Jammu & Kashmir | The infiltration attempts are not that serious as of now. The number has come down this year. We are vigilant and are totally prepared and will ensure that no one is able to sneak in: Lt Gen DP Pandey, GOC of Chinar Corps in Anantnag pic.twitter.com/mOTbjIpGAL
સેનાની 15મી કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) લેફ્ટનન્ટ જનરલ ડીપી પાંડેએ જણાવ્યું હતું કે, “છેલ્લા લગભગ પાંચ દિવસમાં, સુરક્ષા દળોએ ઘાટીમાં અનેક ઓપરેશન હાથ ધર્યા છે, જેમાં 11 ખતરનાક આતંકવાદીઓ માર્યા ગયા છે. બુધવારે રાત્રે બે અલગ-અલગ ઓપરેશનમાં, કુલગામ અને અનંતનાગમાં જૈશ-એ-મોહમ્મદ કેડરના બે પાકિસ્તાની આતંકવાદીઓ સહિત છ આતંકવાદીઓને તટસ્થ કરવામાં આવ્યા હતા.