જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં ગુરુવારે આતંકવાદીઓ સાથે સુરક્ષદળોને અથડામણ થઈ હતી, જેમાં 3 આતંકીઓ ઠાર મરાયા હતા અને 1 જવાન ઘાયલ થયો હતો.
કાશ્મીરમાં ફરીથી એન્કાઉન્ટર
શોપિયાંમાં 3 આતંકી ઠાર, 1 જવાન ઘાયલ
22 માર્ચે પણ થયું હતું એન્કાઉન્ટર, 4 આતંકી માર્યા ગયેલા
મહત્વનું છે કે સેનાને બાબા મહોલ્લામાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી મળ્યા બાદ એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું
તેમણે કહ્યું કે આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધી, જેના પર સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ થયું. અધિકારીએ જણાવ્યું કે ગોળીબારમાં એક સુરક્ષા કર્મચારી ઘાયલ થયો છે. અધિકારીના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોની કાર્યવાહીમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. હત્યા કરાયેલા આતંકીઓ અને તેમની સંસ્થાની ઓળખ અંગેની તપાસ ચાલુ છે.
22 માર્ચે શોપિયાંમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા
આ પહેલા જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં 22 માર્ચના રોજ સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ મોડી રાત્રે જિલ્લાના મણિહાલ વિસ્તારમાં ઘેરો ઘાલીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
તેમણે કહ્યું હતું કે સુરક્ષાદળો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યા બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. સેનાના જવાનોએ પણ આ અંગે યોગ્ય જવાબ આપ્યો. અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોએ આતંકીઓને આત્મસમર્પણ કરવાનું પણ કહ્યું હતું, પરંતુ તેઓએ ના પાડી દીધી હતી. જેના પછી, એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા.