દિલ્હીમાં ચાર માળની ઈમારત કોઈ કારણોસર ધરાશાયી થતાં 35 થી 40 લોકો ઈમારત નીચે દટાયા હતા. તો આ અકસ્માતમાં એક મહિલા અને 4 બાળકોનાં પણ મોત થયા છે. ઈમારત વીસ વર્ષ જૂની હતી. ઈમારત ધરાશાયી થતા સાત લોકોને ગંભીર ઈજા થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા.
આ ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગ તથા NDRFની ટીમને થતા તેઓ આવી પહોંચ્યા હતા. પોલીસ ફાયર વિભાગ અને NDRF દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ. NDRFની બે ટીમે 9થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. હજુ પણ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ છે.
#UPDATE: 4 children and a woman died after a three-storey building collapsed near Sawan Park in Ashok Vihar Phase 3 today. Search and rescue operation underway. #Delhipic.twitter.com/QiKLw46P71
આ ઘટના મામલે મળતી વધુ જાણકારી મુજબ આ ઇમારત ઝાડના સહારે ઉભી હતી અને MCD એ કમજોર જાહેર કરવામાં આવી હતી. જો કે દિલ્હીમાં તાજેતરમાં થયેલ ભારે વરસાદને પગલે આ ઝાડ પણ કમજોર થઇ જતાં આજરોજ તે ઢળી પડી હતી. આ દુર્ઘટનામાં 4 બાળકો સહિત કુલ 5ના મોત થતાં તંત્ર દોડતું થયું હતું.
આ ઘટનામાં ફસાયેલા 8 થી વધુ લોકોને કાટમાળ હેઠળથી કાઢવા માટે પ્રયાસ NDRF દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોને નજીકના દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા.જેમાં 3 લોકો હજી ગંભીર હોવાનું સામે આવેલ છે.