શ્રીનગરઃ જમ્મૂ-કશ્મીરમાં રમઝાન મહિનામાં આતંકીઓ પર ઓપરેશન ઓલઆઉટ અટકાવી દેવામાં આવ્યું છે. ત્યારે આતંકીઓને મજબૂત થવાની તક મળી રહી છે. અને સેનાના જવાનોને ટાર્ગેટ કરીને હુમલા કરી રહ્યા છે. જમ્મૂ-કશ્મીરથી બે તસ્વીરો આવી છે. જેમાં પ્રથમ તસ્વીર શોપિયાની છે. જ્યાં IED બ્લાસ્ટની ઝપેટમાં સેનાનનું વાહન આવી ગયું હતું.
આ બ્લાસ્ટમાં સેનાના 3 જવાન ઘાયલ થયા છે. તો બીજી તસ્વીરમાં એક ટ્રક પલટી ગયેલી હાલતમાં દેખાય છે. પથ્થરબાજોએ હુમલો કરતા આર્મીની આ ટ્રક પલટી ગઈ હતી. જેમાં 19 જેટલા સીઆરપીએફના જવાનો ઘાયલ થયા છે. ત્યારે સવાલ એ છે કે સરકારે શું વિચારીને રમઝાન પર ઓપરેશન ઓલાઉટને અટકાવ્યું છે. શું સરકારને જવાનોની શહીદી નથી દેખાતી. શા માટે આતંકીઓને વધુ મજબૂત થવાની તક આપવામાં આવી રહી છે?
મહત્વનું છે કે શોપિયાં IED બ્લાસ્ટ થયો છે. IED બ્લાસ્ટની ઝપેટમાં સેનાનું વાહન આવી ગયું. જેમાં 3 જેટલા જવાન ઘાયલ થયા છે. મહત્વનું છે કે જમ્મૂ-કશ્મીરમાં આતંકીઓ પર ઓપરેશન ઓલઆઉટ રમઝાન મહિનાના કારણે અટકાવી દીધું છે. ત્યારે આતંકીઓને તક મળી રહી છે. અને સેનાના જવાનોને ટાર્ગેટ કરીને હુમલો કરી રહ્યા છે.