AAPની જીત પર ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે, AAPને સાકારાત્મક પ્રચારના કારણે જીત મળી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે AAPના પ્રદેશ અધ્યક્ષની પહેલી પ્રતિક્રિયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAPની જીત પર બોલ્યા ગોપાલ ઈટાલીયા
AAPને સાકારાત્મક પ્રચારના કારણે જીત મળી- ઈટાલીયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે AAPના પ્રદેશ અધ્યક્ષની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAPની જીત પર ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે, AAPને સાકારાત્મક પ્રચારના કારણે જીત મળી છે. લોકોને વિશ્વાસ છે કે, AAPના નેતાઓ કામ કરશે. અગાઉથી ઉમેદવારો જાહેર થતાં પ્રચારનો સારો સમય મળ્યો હતો. કોંગ્રેસ, ભાજપમાં છેલ્લે સુધી ટિકિટ મામલે ખેંચતાણ ચાલી હતી. ચૂંટણીના પરિણામથી કોંગ્રેસ, ભાજપે ફેલાવેલી અફવા પર વિરામ લાગ્યો છે. કોંગ્રેસના EVM પરના આક્ષેપનો છેદ ઉડી ગયો છે. અને કદ્દાવર ઉમેદવારો જીતે તેવી ભાજપની ધારણા ખોટી પડી ગઈ છે.