અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગુરુવારે પણ રાજીનામાનો સિલસિલો વધુ 3 તબીબોઓએ રાજીનામું આપ્યું હતું.જો કે સરકારે સિવિલ હોસ્પિટલના નવા સુપ્રિટેન્ડેન્ટ તરીકે ડૉ.રાકેશ જોષી પસંદગી કરી.
રાજ્ય સરકારે સિવિલના સુપ્રિટેન્ડેન્ટ તરીકે ડૉ. રાકેશ જોષીના નામ પર મારી મહોર
ડૉ. જે. વી. મોદીના રાજીનામા બાદ વધુ 3 તબીબોએ રાજીનામા ધરતાં ચર્ચાઓએ જોર પકડ્યું
ત્રણેય તબીબોના રિટાયરમેન્ટનો સમય નજીકમાં હતો
ડૉ. રાકેશ જોષી બન્યા સિવિલ હોસ્પિટલના નવા સુપ્રિટેન્ડેન્ટ
બુધવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટના પદ પરથી ડો. જે.વી.મોદીએ રાજીનામા આપ્યા બાદ ગુરુવારે રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલમાં ખાલી પડેલી સુપ્રિટેન્ડેન્ટની જગ્યા ડો. રાકેશ જોષીના નામ પર મહોર લાગી હતી.
સુપ્રિટેન્ડેન્ટના રાજીનામા બાદ વધુ ત્રણ રાજીનામા પડ્યાં
અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પદેથી ડૉક્ટર જે.વી.મોદીએ રાજીનામું આપ્યું હતું. ત્યારે બીજા દિવસે પણ વધુ ત્રણ તબીબો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. જેમાં બી.જે. મેડિકલના ડીન ડૉક્ટર પ્રણય શાહ, મેડિસીન યુનિટના હેડ ડૉકટર બિપીન અમીન, એનેસ્થેસિયાના હેડ ડૉક્ટર શૈલેષ શાહએ પણ રાજીનામું આપ્યું છે. આમ સિવિલ હોસ્પિટલમાંથી સતત બીજા દિવસે મોટા ત્રણ તબીબોએ આપેલા રાજીનામાથી ભારે હડકંપ મચી જવા પામ્યો છે. બીજી તરફ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે, ગાંધીનગરમાં બેઠેલા કેટલાંક અધિકારીઓના ત્રાસખથી તબીબોએ રાજીનામા આપ્યાં છે.
તમામ તબીબો રિટાયરમેન્ટ નજીકમાં હતું
મહત્વનું છે કે,સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના વડા ડૉક્ટર શૈલેષ શાહને રિટાયર્ડ થવામાં માત્ર એક જ વર્ષ બાકી હતું. જ્યારે બી.જે.મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર પ્રણય શાહને માત્ર રિટાયર્ડ થવામાં દોઢ વર્ષ જ બાકી તેમજ સિવિલ હોસ્પિટલના મેડિસન યુનિટના વડા ડૉક્ટર બિપીન અમીનને રિટાયર્ડ થવાના માત્ર બે જ વર્ષ બાકી છે. તેમ છતાં ત્રણેય તબીબોએ રાજીનામું આપ્યાં છે.
એક સાથે ત્રણ તબીબોના રાજીનામાથી ચર્ચાએ વેગ પકડ્યો
એક અહેવાલ અનુસાર ગાંધીનગરના આરોગ્ય અધિકારીના વલણથી નારાજ થઈને તબીબોએ રાજીનામુ આપ્યુ હોવાની શક્યતા છે,ત્યારે હાલ એકસાથે ત્રણ તબીબોના રાજીનામાથી ચર્ચાઓએ વેગ પકડ્યો છે.