પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ઘર્ષણ વચ્ચે બુધવારે ફ્રાંસે વધુ ત્રણ રાફેલ વિમાનો ભારત પહોંચાડ્યા છે. આ અંગે ભારતીય વાયુ સેનાએ સત્તાવાર જાહેરાત કરી છે. વાયુસેનાના જણાવ્યા અનુસાર, ફ્રાંસથી ઉડાન ભર્યા બાદ આ વિમાન નૉનસ્ટૉપ ગુજરાતના જામનગર એરબેઝ પર સાડા આઠ વાગ્યે પહોંચ્યા.
ફ્રાંસથી 3 રાફેલ વિમાન ભારત આવ્યા
રાફેલ વિમાન જામનગર એરફોર્સ એરબેઝ પહોંચ્યા
ભારતીય વાયુ સેનાની સત્તાવાર જાહેરાત
3 રાફેલના આવવાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે. જણાવી દઇએ કે આ પહેલા 28 જુલાઈમાં 5 રાફેલ વિમાન ભારત પહોંચ્યા હતા અને 10 સપ્ટેમ્બરે અંબાલામાં સત્તાવારરીતે ભારતીય વાયુસેનામાં સામેલ કર્યા હતા. રાફેલ આઠથી દસ કલાક જામનગર એરબેઝ પર રહેશે. આવતીકાલે ત્રણેય રાફેલ અંબાલા જવા ઉડાન ભરશે. ઇંધન ભરવા માટેનું પ્લેન પણ સાથે છે.
The second batch of three Rafale aircraft got airborne from Istres airbase in France and flew for over eight hours before landing at an IAF base. They covered a distance of over 3700 nautical miles with three in-flight refuellings. pic.twitter.com/gHEixnMh2B
જામનગર એરબેઝ પહોંચેલા 3 લડાકૂ વિમાનોની બીજી ખેપ 4 નવેમ્બર, 2020એ ફ્રાંસથી ઉડાન ભર્યા બાદ વિના અટક્યે સાંજે 8:14 વાગ્યે ભારત પહોંચી. ભારતીય વાયુસેનાએ માહિતી આપી કે, ત્રણ રાફેલ લડાકૂ વિમાનોએ એક ફ્રાંસીસી એરબેઝથી ઉડાન ભરી. ઉડાન દરમિયાન વિમાનોમાં 3 વખત ઇંધણ ભર્યું. સીધા ફ્રાંસથી ભારત પહોંચવામાં વિમાનોને 8 કલાકોથી થોડો સમય લાગ્યો. આ વાયુસેનાની લાંબુ અંતર સંચાલન ક્ષમતાનું પ્રદર્શન કરે છે.
4 વર્ષ પહેલા થયો હતો કરાર
જણાવી દઇએ કે 5 રાફેલ વિમાનોની પહેલા ખેપ 29 જુલાઈએ ભારત પહોંચી હતી. અંદાજિત 4 વર્ષ પહેલા ભારતે ફ્રાંસ સરકાર સાથે 36 રાફેલ વિમાનોની ખરીદી માટે 59,000 કરોડ રૂપિયાના આંતર સરકારી કરાર કર્યો હતો. હવે ત્યાર બાદ ત્રણ રાફેલ વિમાન જાન્યુઆરીમાં ત્રણ વિમાન માર્ચમાં વધુ 7 રાફેલ વિમાન એપ્રિલમાં ભારતને મળી જશે.