ભાવનગરના ખારી ગામે તળાવમાં ડૂબી જવાથી 3 લોકોના મોત થયા છે. તળાવમાં માતા સહિત પુત્ર, પુત્રીના ડૂબવાથી મોત થયા છે. પુત્રીને બચાવવા જતા પુત્ર અને માતાનું પણ મોત થયું છે. એક સાથે 3 લોકોના મોત થતા ખારી ગામમાં માતમ છવાઇ ગયો છે.
ભાવનગરના ખારી ગામે 3 લોકોના મોત
પરિવારજનો પર તૂટી પડ્યું આભ
આ બનાવ અંગે પ્રાપ્ત થયેલ વધુ વિગત મુજબ, સિંહોરના કર્નાડ અને ખારી ગામ વચ્ચે આવેલા તળાવ નજીક એક મહિલા કામ કરી રહી હતી. આ મહિલાનું બાળક ત્યાં નજીકમાં જ રમતા-રમતા તળાવમાં પડી જતા તેને બચાવવા માટે બાળકની માતા દોડી હતી.
માતાનો અવાજ સાંભળી દીકરીએ પણ તળવામાં જંપલાવ્યું
માતાનો અવાજ સાંભળી નાની દીકરી પણ માં અને ભાઇને બચાવવા માટે તળાવમાં કૂદી પડતા ત્રણેય લોકો ડૂબવા લાગ્યા હતા અને બચાવો બચાવોની બુમરાણ કરતા આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ત્રણેયને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. પરંતુ દવાખાને પહોંચતા ત્રણેયને મૃત જાહેર કરવામાં આવેલ.
એક જ પરિવારના 3 સભ્યના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું
ઉલ્લેખનીય છે કે, એક જ પરિવારના 3 લોકોના એક સાથે મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. આ બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક મામલતદાર તથા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.