મોરબી જીલ્લાના રોહીશાળામાં રાજકોટથી મામાના ઘેર ફરવા આવેલા બે યુવકો અને મામાનો દીકરો તળાવમાં નહાવા પડ્યા હતા. તળાવમાં ડૂબી જતા ત્રણે'ય યુવકોના મોત.ઘેરો વિષાદ
મોરબી પાસે દિવાળીના દિવસોમાં માતમ
ત્રણ કંધોતર યુવકોના ડૂબી જતા મોત
રાજકોટથી આવ્યા હતા રોહીશાળા
દિવાળીનું વેકેશન જાહેર થતા જ બાળકો અને યુવકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ,રાજકોટથી મોરબી ફરવા આવેલા ત્રણ યુવકો રોહીશાળાના તળાવમાં ડૂબી જતા ઘેરા શ્કોની લાગણી ફેલાઈ છે.
બે યુવકો અને મામાનો દીકરો નહાવા પડ્યા
મોરબી જીલ્લાના રોહીશાળામાં ઘેટલી કરુણાંતિકામાં રાજકોટથી મામાના ઘેર રોહીશાળામાં ફરવા આવેલા બે યુવકો ગામના તળાવમાં નહાવા પડ્યા હતા. બંને યુવકો સાથે મામાનો દીકરો ભાઈ પણ કંપની આપવા તળાવમાં નહાવા કૂદ્યો હતો. દીપાવલીના તહેવારો પૂર્વે જ ત્રણે'ય કંધોતર યુવકો તળાવમાં ડૂબી જતા. ઘરમાં માતમ છવાયો હતો. નાના એવા રોહીશાળામાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
ટંકારાના રોહીશાળામાં કરુણાંતિકા
ટંકારા તાલુકાના રોહિશાળા ગામે રહેતા હિતેશભાઈ નિમાવતના ભાણેજ પાર્થ અતુલભાઈ દેવમુરારી (ઉ.વ.18) અને પાવન અતુલભાઈ નિમાવત (ઉ.વ.16) બંને રાજકોટથી દિવાળીનો તહેવાર કરવા આવ્યા હતા. આ બંને પોતાના મામા હિતેશભાઈ નિમાવતના પુત્ર મેહુલ નિમાવત (ઉ.વ.20) સાથે રોહિશાળા ગામના ધણચોક નજીક આવેલ તળાવમાં ન્હાવા ગયા હતા.
આ દરમિયાન ન્હાતી વેળાએ અકસ્માતે ડૂબી જતાં ત્રણેયના કરુણ મોત નિપજયા છે. જેને પગલે તંત્ર દ્વારા તમામના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.