દિલ્હીમાં લોકડાઉન થતાં પોતાના વતન તરફ જઈ રહેલા શ્રમિકોને મધ્ય પ્રદેશમાં અકસ્માત નડ્યો હતો જેમાં 3 લોકોના નિધન થયા છે.
દિલ્હીમાં લાગ્યું લૉકડાઉન
શહેર છોડીને વતન તરફ જઈ રહ્યા છે શ્રમિકો
એમપીમાં શ્રમિકોની બસનો અકસ્માત, 3ના મોત
ફરી ગયા વર્ષ જેવા જ દ્રશ્યો, માત્ર તારીખ બદલાઈ ગઈ છે
કોરોના વાયરસના કારણે દેશમાં દિવસેને દિવસે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે ત્યારે જુદા જુદા રાજ્યોમાં ફરીથી લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે દેશમાં ફરીથી વર્ષ 2020 જેવા જ કરૂણ દ્રશ્યો સર્જાઇ રહ્યા છે.
પ્રવાસી શ્રમિકોએ પકડી વતનની વાટ
ભારતના જુદા જુદા રાજ્યોમાંથી શ્રમિકોએ હિજરત શરૂ કરી દીધી છે. દિલ્હીમાં કેજરીવાલ સરકાર દ્વારા લોકડાઉન કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે દિલ્હીમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસી શ્રમિકો પોતાના વતન તરફ નીકળી પડ્યા છે. દિલ્હીથી હજારોની સંખ્યામાં પ્રવાસી શ્રમિકોને રઝળપાટની તસવીરો આવી રહી છે ત્યારે મધ્ય પ્રદેશમાં આ પ્રવાસી શ્રમિકોને લઈ જતી એક બસનો અકસ્માત થયો છે.
Madhya Pradesh: Three people died after a bus carrying migrants to Chhatarpur and Tikamgarh from Delhi, overturned in Jorasi of Gwalior district. Details awaited. pic.twitter.com/HPUc6y2po0
દિલ્હીથી પ્રવાસી શ્રમિકોને લઈને આવતી બસનો મધ્ય પ્રદેશના છતરપૂરમાં અકસ્માત થઈ ગયો જેમાં 3 લોકોના નિધન થયા છે. ત્યારે આ દેશની સરકારોએ ગયા વર્ષે જે સમસ્યા ઊભી થઈ હતી તેમાંથી શું શીખ લીધી તેના પર સવાલ ઊભા થાય છે. ગયા વર્ષે પણ આ જ પ્રકારે શ્રમિકોના મોતના સમાચાર આવ્યા હતા ત્યારે તેના પરથી સરકારોએ શું બોધ લીધો?