રાજ્યમાં રવિવારે બે અલગ અલગ અકસ્માતની ઘટનાઓમાં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. મોરબીના લાલપર ગામ નજીક અકસ્માતે 2 ના મોત થયા છે. જ્યારે સુરેન્દ્રનગરના પાટડી નજીક અકસ્માતમાં એકનું મોત નિપજ્યું.
મોરબીના લાલપર ગામ નજીક અકસ્માતે 2 મોત
ટ્રકચાલકે બાઈકને અડફેટે લેતા થયો હતો અકસ્માત
પાટડીના ખારાઘોડા ગામે અકસ્માતમાં 1નું મોત
મોરબીના લાલપર ગામ નજીક અકસ્માત થયો છે. જેમાં 2 લોકોના મોત થયા છે. ટ્રકચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત થયો હતો. આ ટ્રકની અડફેટે બાઈકચાલક 2 લોકોના મોત થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોચીને કાર્યવાહી હાથધરી છે.
પાટડીના ખારાઘોડા ગામે અકસ્માત
સુરેન્દ્રનગરના પાટડીમાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ખારાઘોડા ગામમાં અકસ્માત થતા બાઈક ચાલકનું મોત થયું હતું. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.