સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે. સરકાર ત્રણ નવી રો-રો ફેરી સર્વિસ શરૂ કરી રહી છે. આ ત્રણ નવી રો-રો ફેરી સર્વિસમાં કચ્છના બે સ્થળોની પસંદગી કરવામાં આવી છે. આમ કચ્છવાસીઓ માટે નવુ વર્ષ નવુ નજરાણું લઇને આવી રહ્યું છે.
કચ્છથી રોઝી-મુંદ્રા અને ઓખા-માંડવી વચ્ચે રો-રો ફેરી સર્વિસનો પ્રારંભ થશે. જેને લઇને આ આ અંતરમાં ઘટાડો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે હાલ ઘોઘા-દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસ સરકાર દ્વારા ચલાવામાં આવી રહી છે.
ગુજરાતમાં સરકાર 3 નવી રો-રો ફેરી સર્વિસ શરૂ કરશે. જેમાં કચ્છના બે સ્થળોની રો-રો ફેરી સર્વિસ અંતર્ગત પસંદગી કરવામાં આવી છે. રાજ્યમાં ઘોઘા-હજીરા, રોઝી-મુંદ્રા, ઓખા-માંડવી વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ કરાશે.
આ વિસ્તારોમાં રો-રો ફેરી સર્વિસ શરૂ થયા બાદ અંતરમાં ઘટાડો થશે. જો કે ઘોઘાથી હજીરાનું 397 કિમી અંતર દરિયા માર્ગે માત્ર 91 કિલોમીટરનું થશે. જ્યારે રોઝીથી મુંદ્રાનું 250 કિમી અંતર દરિયા માર્ગથી માત્ર 40 કિલોમીટરનું થશે. ઓખાથી માંડવીનું 450 કિમી અંતર દરિયા માર્ગ હવે 44 કિલોમીટરનું થશે.