અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું, છેલ્લા બે દિવસમાં હત્યાના બે બનાવો સામે આવતા ચકચાર મચી ગયો છે, અગાઉ પણ ગુનાખોરીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.
અમદાવાદમાં હત્યાના બનાવ વધ્યા
બે દિવસમાં અમદાવાદમાં હત્યાના 3 બનાવ
અસારવા, વટવા, મોટેરામાં હત્યાના બનાવ
રાજ્યમાં ક્રાઈમ રેટમાં વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે નવરાત્રી ટાંણે જ અમદાવાદ શહેરમાં હત્યાની ત્રણ ઘટનાઓ સામે આવી છે, છેલ્લા બે દિવસમાં હત્યાના ત્રણ બનાવો સામે આવતા શહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે, ગુનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અને નાગરિકોની સલામતીને જોખમમાં મુકાઈ છે ત્યારે નાગરિકોની સુરક્ષા અને સલામતીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
બે દિવસમાં અમદાવાદમાં હત્યાના 3 બનાવ
છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં હત્યાના ત્રણ બનાવો સામે આવ્યા છે. જેમાં અસારવા, વટવા, અને મોટેરા રોડ પર શહેરના નાગરિકોની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. વટવામાં ઘરકંકાસમાં સાળાએ જ બનેવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જ્યારે મોઢેરા રોડ પર શાકભાજીનો ધંધો કરતા ગરીબ સાથે ધંધા બાબતે બોલાચાલી થતા તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
અસારવા, વટવા, મોટેરામાં હત્યાના બનાવ
શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં સામાન્ય શાકભાજીની લારી ચલાવી જીવન નિર્વાહ ચલાવતા ગરીબ વ્યક્તિની લારી ઉંધી વાળી દીધી હતી અને બાદમાં જાહેરમાં હત્યા કરી ઈસમો ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે હત્યાનો ગુનો નોંધી ગુનેગારોને ઝડપી લેલા તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં હત્યાના બનાવ વધ્યા
બીજી તરફ શહેરના અસારવા વિસ્તારમાં પણ ખૂની ખેલ ખેલાયો હતો, શાહીબાગ અસારવા વિસ્તારમાં વર્ષ જૂની અદાવતમાં છ શખ્સોએ ભેગા મળી પડોશમાં રહેતા યુવક ઉપર ચાકુ, લોખંડનો સળિયો તેમજ બેઝબોલ વડે જીવલેણ હુમલો કર્યો હતો અને મોતને ઘાટ ઉતારી દીધો હતો. શાહીબાગ પોલીસે ખૂનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે આ હત્યા કેસમાં મુખ્ય સુત્રધ્ધાર આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે, હત્યા બાદ આરોપી યુવક ફરાર થઈ ગયો હતો, જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે
અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હત્યા
આ તરફ અઠવાડિયા પહેલા જ અમદાવાદના આનંદનગર વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરી દેવામાં આવી હતી.યુવક પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા હતા જેમાં સંજય ધોબી નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, આનંદનગરના હરણ સર્કલ પાસે આવેલા તૃષા ફ્લેટમાં યુવકની હત્યા કરાયાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.