ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટાકારી, આ ચુકાદો આવતાની સાથે કેસ સાથે જોડાયેલા ત્રણ મુખ્ય નિવેદનો સામે આવ્યા
ગ્રીષ્મા કેસમાં ફાંસીની સજા
તમામ લોકોએ ચુકાદો આવકાર્યો
પોલીસની તપાસને કારણે મળી ફાંસી
ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટાકારી છે. આ ચુકાદો આવતાની સાથે કેસ સાથે જોડાયેલા ત્રણ મુખ્ય નિવેદનો સામે આવ્યા છે.
પ્રથમ સુરત રેન્જ IG, બીજુ સરકારી વકીલ નયન સુખડવાળા અને ડીવાયએસપી ડી.પી વનારનું પણ નિવેદન સામે આવ્યું છે. મહત્વનું છે કે સુરતના પાસોદરામાં 12 ફેબ્રુઆરી, 2022એ જાહેરમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરવામાં આવી હતી. આ કેસના આરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. આજે કોર્ટે ફેનિલને પાંચ હજારનો દંડ અને ફાંસીની સજા ફટકારી છે.
તપાસ અને પ્રયાસનું પરિણામ: રેન્જ આઇજી રાજકુમાર પાંડિયન
આ અંગે સુરત આઇજી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે DNA,ફિંગરપ્રિન્ટ, વોઇસ સ્પ્રેક્ટોગ્રાફી અને મોબાઇલ, ફોરેન્સિક, સહિત તમામ ટેકનિકલ ડોક્યુમેન્ટરી, ઓરલ, તમામ આઇ વિટનેસ સહિત તમામ પુરાવા ભેગા કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ 21 ફેબ્રુઆરીની રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. પોલીસે ડિટેઇલ ઇન્વસ્ટિગેશન કર્યું હતું. SITની રચના કરવામાં આવી હતી.
શ્રેષ્ઠ ચુકાદો: નયન સુખડવાલા,સરકારી વકીલ
તો સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટના આ ચુકાદાને ખૂબસારો અને આવકારદાયક ચુકાદો ગણાવ્યો હતો. આ ઉપરાંત નામદાર કોર્ટે ચુકાદામાં યુવાપેઢીને સંદેશો આપ્યો છે. યુવા ધન બરબાદ ન થાય તેની પણ નામદાર કોર્ટે ચુકાદામાં નોંધ કરી છે. 500થી વધારે પાનાનો ચુકાદો છે. આ ખૂબ ઐતિહાસિક ચુકાદો છે.
આ ચુકાદો કારકિર્દીનો નીચોડ:બી.કે.વનાર,DySP,સુરત
તો SIT ટીમના સભ્ય DySP બી.કે.વનારે આ કેસ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે અમારી પ્રોફેશનલ લાઇફનો નિચોડ આ કેસમાં નાખ્યો હતો
સતત 7 દિવસ સુધી આરામ કર્યા વિના તપાસ કરી હતી. સમાજની અપેક્ષા હતી.
આરોપીને કોઇ પસ્તાવો ન હતો- સરકાર પક્ષ
કોર્ટે ચુકાદામાં એમ પણ નોંધ્યું કે આરોપી ફેનિલને કોઇ પસ્તાનો ન હતો. હત્યા કર્યા બાદ આરોપી બાજુમાં ઉભો ઉભો કંઇક ખાઇ રહ્યો હતો. ટ્રાયલ દરમિયાન પણ આરોપીને કોઇ કોઇ પસ્તાવો ન હતો. સુનાવણી દરમિયાન પણ વારંવાર માથામાં હાથ ફેરવીને પોતે કોઇ સારુ કામ કરતો હોય તેવું બતાવતો હતો. કોર્ટે કુલ 500 થી વધુ પાનાનો ચુકાદો આપ્યો હતો. જેમાં કસાબ અને નિર્ભયા કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમ કસાબને પોતાના કર્યાનો કોઈ પસ્તાવો ન થયો, રંજ ન હતો તેવુ ફેનિલ માટે પણ નોઁધ્યુ હતુ. કોર્ટે એમ પણ જણાવ્યું કે આ ચુકાદો માત્ર વીડિયો આધારિત નથી. આરોપીની ગુનાહિત માનસિકતા હતી. હત્યા ગણતરીપૂર્વક થઇ છે. આરોપીએ ફ્લિપકાર્ટ પરથી ચપ્પુ મંગાવ્યુ હતું પરતુ ઓર્ડર કેન્સલ થતા તેણે મોલમાંથી ચપ્પુ ખરીદ્યુ હતું.
આરોપીએ હત્યા કરતા પહેલા રેકી કરી હતી- સરકાર પક્ષ
સરકારે પક્ષે કહ્યું હતું કે આરોપીએ હત્યા કરતા પહેલા રેકી કરી હતી. ગ્રીષ્માની મિત્રને આરોપીએ કહ્યું હતું કે તે કંઈક મોટુ કરવાનો છે. બનાવ પહેલા તેણે ક્રિષ્ના સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર વાત પણ કરી હતી. વધુમાં કહ્યું હતું કે દરેક વાલિયો ડાકુ વાલ્મિકી બની શકતો નથી. ભય વિના પ્રિત ન થાય. માત્ર ગ્રીષ્મા જ નહીં પરંતુ તેના કાકા અને ભાઈની હત્યાનો પણ પ્રયાસ થયો હતો.