ગુજરાતમાં આજે કોરોનાના 3 વધુ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સંખ્યા 8 થઇ છે. જ્યારે સમગ્ર રાજ્યમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 47 થઈ છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી કુલ 3 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે હાલ સૌરાષ્ટ્રમાં કોરોનાથી વધારે સાવચેતી રાખવાની જરૂર છે.
રાજકોટમાં કોરોનાના 3 વધુ પોઝિટિવ કેસ
એક જ પરિવારના ત્રણ લોકો કોરોના પોઝિટિવ
રાજ્યમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 47 થઇ
હાલમાં રાજકોટમાં 5 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. ત્યારે આજે રાજકોટમાંથી 11 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. 11માંથી 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે 9 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેથી રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 47 થઈ છે. સૌરાષ્ટ્રમાં કોરોનાથી વધારે સાવચેતી રાખવાની જરૂર છે. આખા ગુજરાતમાં રાજકોટ સિવાય એક પણ કોરોના પોઝિટિવ કેસ નહીં.
વિદેશથી રાજકોટ આવેલા યુવકથી અન્ય બે લોકોને પણ થયો કોરોના
37 વર્ષના પુરૂષ વિદેશથી આવ્યા હતા. જેના સંપર્કમાં આવવાથી તેમના 33 વર્ષીય પત્ની અને 39 વર્ષના પુરૂષ કોરોનાગ્રસ્ત થયા છે. ત્યારે હાલ તેમને સારવાર હેઠળ ખસેડાયા છે.
જાણો ક્યાં ક્યાં કોરોનાથી થયા મોત
ગુજરાતના 3 કરોડ 50 લાખ લોકોનો સર્વે કરાયો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાથી કુલ ત્રણ મોત થયા છે. અમદાવાદ, સુરત અને ભાવનગરમાં એક-એક મોત થયું છે. ત્રણેય દર્દીઓ ઉંમરલાયક હતા અને કોઈને કોઈ રોગથી પિડાતા હતા. ગુજરાતમાં હાલ કોરોનાના 47 પોઝિટિવ દર્દીઓ છે.
જાણો ક્યાં કેટલા પોઝિટિવ કેસ
અમદાવાદમાં 15, સુરતમાં 7, વડોદરામાં 8, ગાંધીનગરમાં 7, રાજકોટમાં 5 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે, ત્યારે વધુ 3 પોઝિટિવ કેસ આવતા કુલ સંખ્યા 8 થઇ છે. કચ્છમાં 1 દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. 47માંથી 37 દર્દીઓ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને આવેલા છે. ગુજરાતમાં 20 હજાર લોકોને 14 દિવસના કોરન્ટાઈનમાં રખાયા છે. તેમાંથી 575 લોકો સરકારી જ્યારે 19300 હોમ કોરન્ટાઈનમાં છે. હોમ કોરન્ટાઈનના ભંગ બદલ 236 લોકો સામે કેસ કરવામાં આવ્યો છે.