દિલ્લીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક કરતા વધુ ચર્ચામાં પ્રધાનમંત્રીના રોડ શૉની રહી છે, જેનાથી એક સવાલ ચોક્કસ થાય કે પ્રધાનમંત્રીએ રોડ શૉ શા માટે યોજ્યો. જાણો જાણીએ..
PMના એક રોડ શૉથી ત્રણ મેસેજ
દિલ્લીના કાર્યકરોનો વધ્યો ઉત્સાહ
ભાજપના મતદારોને ફરી આકર્ષવાનો પ્રયાસ
દિલ્લીમાં ભાજપના કાર્યકરોનો આટલો બધો ઉત્સાહ છલકાતો હોય એવા દ્રશ્યો છેલ્લા થોડા વર્ષોથી મીડિયામાંથી ગૂમ હતો. પરંતુ પ્રધાનમંત્રીના એક રોડ શૉએ જાણે કે કાર્યકરોમાં અલગ જ ઉત્સાહ ફૂંકી દીધો. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભવિષ્યની રણનીતિના નિર્ણય તો થશે જ પણ દિલ્લીમાં પ્રધાનમંત્રીનો રોડ શૉ અકારણ નહીં સકારણ હતો.
પ્રધાનમંત્રીના આ રોડ શૉને ત્રણ મુદ્દાથી સમજવો પડે. એ ત્રણ મુદ્દા ભાજપ ભવિષ્યમાં જનતાને શું મેસેજ આપવા માંગે છે તે ફલિત કરનારા છે 1. દિલ્લીમાં કાર્યકરોનું મનોબળ વધારવું
તાજેતરમાં દિલ્લી MCDની ચૂંટણીમાં ભાજપને હાર મળી તેનાથી કાર્યકરો નિરાશ હતા, આવા સમયે પ્રધાનમંત્રીનો રોડ શૉ કાર્યકરોનો ઉત્સાહ વધારનારો બની રહેશે 2. જનતાને મેસેજ
દિલ્લીના રોડ શૉથી પ્રધાનમંત્રી એ મેસેજ આપવા માંગે છે કે તે હજુ પણ દિલ્લીની જનતાની સાથે જ છે. એમસીડીની ચૂંટણીમાં પ્રધાનમંત્રીએ રેલી કે રોડ શૉ યોજ્યા નહતા અને એવા રિપોર્ટ પણ સામે આવ્યા કે એમસીડીની ચૂંટણીમાં ભાજપની મજબૂત વોટબેંક ઘરની બહાર જ નહતી નિકળી એટલે પ્રધાનમંત્રીએ એ મજબૂત વોટબેંકને ફરી સક્રિય થવા મેસેજ આપ્યો હતો. 3.ચર્ચામાં રહેવું
કોઈ પાર્ટીની સતત ચર્ચા થતી રહે તો એ પાર્ટીને રાજકીય ફાયદો થતો હોય છે. ચૂંટણીના માહોલ બાદ રાજકીય ચર્ચા ઉપર વિરામ લાગી ચુક્યો હતો. ત્યારે પ્રધાનમંત્રીએ પોતાના રોડ શૉ મારફતે રાજકીય ચર્ચાને ફરી તેજ કરી દીધી
#WATCH | Delhi: Prime Minister Narendra Modi arrives at NDMC Convention Center in Delhi for BJP National Executive meeting
પ્રધાનમંત્રી અને ભાજપ 24 કલાક ચૂંટણીના મોડમાં રહેનારા છે. કદાચ આજે નહીં તો કાલે આ રોડ શૉનો ભાજપને કયા પ્રકારનો રાજકીય ફાયદો થાય તે કદાચ ખુદ પ્રધાનમંત્રી પણ નહીં જાણતા હોય.
ભાજપની બે દિવસની રાષ્ટ્રીય કારોબારીની બેઠક
રોડ શો બાદ પીએમ મોદી ભાજપની બે દિવસની રાષ્ટ્રીય કારોબારીમાં બેઠકમાં પહોંચ્યાં હતા. ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં 8 મોટા મુદ્દે મંથન કરાયું છે કેટલાક મોટા નિર્ણય પણ લેવાયા છે. બેઠકમાં 9 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી, 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણીની રણનીતિ સહિત અન્ય તમામ મુદ્દાઓ પર મંથન કરવામાં આવશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપની બે દિવસીય બેઠકમાં આઠ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. જેમાં જી20 લીડરશીપ, 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી ટાર્ગેટ, 9 રાજ્યોની ચૂંટણી, 2024 મિશન સામેલ છે. આ બેઠક 17 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યા સુધી ચાલશે અને વડાપ્રધાનના ભાષણ સાથે સમાપન થશે.
दिल्ली के एनडीएमसी कन्वेंशन सेंटर में भाजपा की राष्ट्रीय कार्यकारिणी की बैठक चल रही है।