રેલવેએ ગ્રુપ-સી ના પદો પર કામ કરી રહેલા લાખો કર્મચારીઓને ઓફિસર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રેલવે કર્મચારીઓને બઢતી કરીને ગ્રુપ-બી અધિકારીઓનો દરજ્જો આપવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિનું ગઠબંધન કર્યુ છે. એક મહિના બાદ સમિતિની ભલામણો લાદુ થયા બાદ વર્ષોથી ગ્રુપ-સી ના પદો માટે કાર્યરત કર્મચારી અધિકારી બની જશે.
સુત્રોના કહ્યા પ્રમાણે સાતમા પગાર પંચની ભલામણોમાં 4600 રૂપિયા ગ્રેડ પે કર્મચારીઓને ગ્રુપ-સી થી બઢતી આપી ગ્રુપ-બીનો દરજ્જો આપવાની વાત કરી છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારોમાં આ નિયમને લાગુ કરી દેવામાં આવ્યો છે. પરંતુ રેલવેમાં આજ દિન સુધી આ મામલે અમલ કરવામાં આવ્યો નથી.
ઘણી રાજ્ય સરકારોથી 4200 રૂપિયા ગ્રેડ પે ને ગ્રુપ-બીનો દરજ્જો મળી ચુક્યો છે. કર્મચારીઓના દબાણ બાદ રેલવે બોર્ડે કર્મચારીઓને ઓફિસર બનાવવા માટે 12 જૂને ઉચ્ચ સ્તરીય અધિકારીઓની સમિતિનું ગઠન કીર દિધુ છે. આવતા મહિને આ સમિતિ પોતાની ભલામણો સોંપી દેશે. ત્યાર બાદ સિવિલ મૈકેનિકલ ઈલેક્ટ્રિકલ ટેલીકોમ વગેરે કેડરના ગ્રુપ-સી ના કર્મચારીઓને ગ્રુપ-બીનો દરજ્જો આપી દેવામાં આવશે.
રેલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે સમિતિની ભલામણના આધાર પર કર્મચારીઓને ફાયદો થશે. ટેક્નિકલ સ્ટાફ લગભગ 9 હજાર છે અને બિન ટેક્નિકલ સ્ટાફ લગભગ ચાર લાખથી ઉપર છે. આ પ્રકારે અઢી થી ત્રણ લાખ લોકોને તેનો લાભ મળી શકે છે. અધિકારીએ જણાવ્યું કે ગ્રુપ-સી ના કર્મચારીઓને ગ્રેડ પે અનુસાર ગ્રુપ-બી રાજપત્રિત (ગજેટેડ) તેમજ ગ્રુપ-બી બિનરાજપત્રિત (નોન ગડેટેડ)નો દરજ્જો આપવામાં આવી શકે છે.