સાબરકાંઠાના હિંમતનગર-શામળાજી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 વ્યક્તિના મૃત્યુ થયા છે. ગાંભોઈ નજીક અકસ્માત સર્જાતા 3 વ્યક્તિના મૃત્યુ થયા અને 3 ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયા છે.
હિંમતનગર હાઇવે પર ગાંભોઇ પાસે અકસ્માત
ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિના મૃત્યુ
ઈજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયા
સાબરકાંઠામાં સ્કોર્પિયો સાઇડની પિલ્લર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમને સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના પગલે ટ્રાફિકજામના દર્શ્યો સર્જાયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતમાં ભોગ બનેલા તમામ અમદાવાદના પૂર્વ વિસ્તારના નિકોલના હોવાનું બહાર આવ્યું છે.