ભારતમાં ઓછામાં ઓછી 3 કંપનીઓ કોરોના માટે એન્ટીબોડી દવા બનાવવાની શરુ કરી દીધી છે. જે માટે કોરોના સંક્રમિત વ્યક્તિના શરીરમાં એન્ટિબોડીઝ ડિલિવરી કરી શકાય. ભારત સીરમ્સ, ઈન્ટાસ ફાર્મા અને બાયોલોજિકલ ઈ એ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની સાથે મળીને આ થેરાપી પર કામ શરુ કર્યું છે.
ભારતની 3 કંપની બનાવી રહી છે એન્ટીબોડી દવાઓ
ભારત સીરમ્સ, ઈન્ટાસ ફાર્મા અને બાયોલોજિકલ ઈ કરી રહી છે રિસર્ચ
એન્ટીબોડીઝ પણ વેક્સિનની જેમ જ કામ કરે છે
ટ્રમ્પ આ દવાઓને 'ચમત્કારી' સારવાર ગણાવી ચૂક્યા છે
એન્ટિબોડીધ શરીરમાં ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સની જેમ કામ કરે છે. જેવો કોઈ વાયરસ પૈથોજેન હુમલો કરે છે. ઈમ્યુન સિસ્ટમ એન્ટીબોડીઝ બનાવવા લાગે છે. હાલમાં જે દવા કોરોનાની સારવારમાં વપરાઈ રહી છે તે ફક્ત વાયરલ કાઉન્ટ ઓછા કરે છે. જ્યારે એન્ટિબોડીઝ રસી જેવું કામ કરે છે. તે ન ફક્ત એન્ટી વાયરસ હોય છે બલ્કે ઈન્ફેક્શનથી થોડાક સમય માટે ઈમ્યુનિટી પણ આપે છે.
અમદાવાદની ઈન્ટાસ તે દર્દીઓના લોહીમાંથી એન્ટીબોડીઝ બનાવવાની યોજના બનાવી રહી છે જે કોરોનામાંથી સાજા થઈ ગયા છે. કંપની એવી દવા બનાવશે જે તમામ બ્લડ ગ્રુપના લોકોને આપી શકાય. કંપનીએ મોર્ડરેટ દર્દીઓ પર ટ્રાયલ શરુ કરી દીધા હતા અને રિજલ્ટ્સની રાહ જોઈ રહી છે. મુંબઈની ભારત સીરમ્સ ઘોડાના એન્ટીસેરાનો ઉપયોગ કરી એન્ટીબોડીઝ બનાવશે. આ રીત રેબીસજ અને ડિપ્થીરિયાની રસી બનાવવામાં પણ વપરાય છે. કંપનીને આશા છે કે આવનારા મહિના સુધીમાં તેના ટ્રાયલના પરિણામ આવી જશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના મુક્ત કરાવવા માટે મિલિટ્રી હોસ્પિટલમાં Regeneron નું એન્ટીબોડી કોક્ટેલ આપવામાં આવ્યું હતુ. આ કોક્ટેલ ખૂબ અસરકારક માનવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ આ દવાઓને 'ચમત્કારી' સારવાર ગણાવી ચૂક્યા છે.