દિલ્હીમાં ગઈ કાલે બનેલી ટ્રેકટર પરેડમાં હિંસાની ઘટના પછી મુખ્યટકવે એવી ત્રણ ઘટનાઓ બની છે જેનાથી ખેડૂત આંદોલન વિખેરાઈ જવાની શક્યતાઓ વધી ગઈ હોય એવું નિષ્ણાતો માની રહયા છે.
ખેડૂત આંદોલનમાં બની ત્રણ ઘટનાઓ
તો શું ખેડૂત આંદોલન સમાપ્ત થઈ જશે ?
દિલ્હી જયપુર હાઇવે ખાલી કરી દેવાયો
ગઈકાલે બનેલી હિંસા બાદ આજે દિલ્હી પોલીસ એક્શનમાં દેખાઈ હતી અને આંદોલનમાં સામેલ કુલ 9 જેટલા ખેડૂત નેતાઓની વિરુદ્ધમાં ફરિયાદ નોંઘીને કાર્યવાહી શરુ કરી હતી, સાથે જ 93 જેટલા લોકોની ઓળખ કરીને અટકાયત પણ કરી લેવામાં આવી છે, આવા સમયમાં કુલ ત્રણ એવી ઘટનાઓ બની કે જેનાથી આંદોલન સમાપ્ત થઇ જાય તેવા સંજોગો ઉભા થયા છે.
Action will be taken against whoever was involved in this (violence on Jan 26). Cases have been registered. During the investigation, many names will come up & strict action will be taken against them: Delhi CP on being asked if police have taken any action against Deep Sidhu pic.twitter.com/J6FLjw0XMh
દિલ્હી જયપુર હાઇવેથી ખસી ગયા ખેડૂતો, રોડ કર્યો ખાલી
દિલ્હીમાં થયેલી હિંસા બાદ આજે ખેડૂતોએ દિલ્હી અને જયપુર વચ્ચેના નેશનલ હાઇવે 8 ને ખાલી કરી દેવાયો છે. રેવાડીના 20 ગામડાની પંચાયતોએ ખેડૂતોને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું, જો કે આજે ખેડૂતોએ આ હાઇવે ખાલી કરી દીધો હતો, જેના પર તેઓ છેલ્લા દોઢ મહિનાથી ધરણા આપી રહયા હતા. આમ આ ઘટનાથી પ્રશ્ન ઉદભવે છે કે શું ખેડૂતોને આ પંચાયતોનો સપોર્ટ બંધ થઇ ગયો?
#WATCH | As per the agreement, we wanted the rally to conclude peacefully. The violence occurred because terms & conditions were not followed. Farmer leaders were involved in the violence: Delhi Police Commissioner SN Shrivastava pic.twitter.com/rusCKk8DBR
દિલ્હી અને ઉત્તર પ્રદેશને જોડતી ચિલ્લા બોર્ડર પર આજે ખેડૂતોના ધરણાનો અંત આવી ગયો હતો, મહત્વનું છે કે આ બોર્ડર પર પ્રદર્શન કરવા વાળા સંગઠન ભારતીય કિસાન યુનિયન (ભાનુ) એ આજે ખેડૂત આંદોલનમાંથી અલગ થવાની જાહેરાત કરી હતી.
#WATCH | We have the video footage of those who indulged in the violence & we are analyzing them. They are being identified with the help of the face recognition system. They will be arrested and legal action will be taken against them: Delhi Police Commissioner SN Shrivastava pic.twitter.com/o6X6LSjREy
મહત્વનું છે કે આજે અન્ય એક સંગઠન રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠનના અધ્યક્ષ વીએમ સિંહે પણ આંદોલનથી અલગ થવાની ઘોષણા કરી હતી, તેમણે ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર ગંભીર આરોપો લગાવ્યા હતા અને કહ્યું હતું કે અમે અહીં અમારા ખેડૂતોને શહીદ કરાવવા માટે નથી આવ્યા, આ આંદોલનની દિશા અલગ થઇ ચૂકી છે માટે અમે અલગ થઇ રહયા છીએ.
The manner in which there was violence in Delhi yesterday, the more it is condemned, the less it is. Action should be against all of those who instigated others. India won't tolerate the manner in which the Tricolour was insulted at the Red Fort: Union Minister Prakash Javadekar pic.twitter.com/d8TP5Dk7DF
મહત્વનું છે કે ચિલ્લા બોર્ડર પર ધરણા આપવા વાળા સંગઠન ભારતીય કિસાન યુનિયન (ભાનુ) એ પણ પ્રદર્શનને સમાપ્ત કરીને આંદોલનથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો, જેને લઈને નોઈડાના એડીસીપી રણવિજય સિંહે કહ્યું હતું કે આ આંદોલનના લીધે જે ટ્રાફિક અવરોધાતો હતો અમે તેને સુચારુ ચલાવવાની કોશિશ કરી રહયા છીએ.
વીએમ સિંહનું સંગઠન પણ થયું અલગ
આની સાથે જ વીએમ સિંહ નામના ખેડૂત આગેવાનનું પણ સંગઠન રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠને પણ આંદોલનથી અલગ થવાની ઘોષણા કરી હતી, તેમણે કહ્યું હતું કે હિંસાથી અમારું કઈં પણ લેવા દેવા નથી, રાકેશ ટિકૈત પર હુમલો કરતા તેમણે કહ્યું કે તેંમણે એક પણ વાર શેરડીના ખેડૂતોની અથવા ધાનની ખરીફની વાત ઉચ્ચારી? અમે અહીં સમર્થન આપતા રહયા અને તેઓ ત્યાં નેતા બનતા રહયા, એવું હવે મંજૂર નથી, 26 જાન્યુઆરી અને ઝંડાની એક મર્યાદા હોય છે અને જો કોઈએ તેનો ભંગ કર્યો છે તો તેના પર કાર્યવાહી થવી જોઈએ.
#WATCH live: Delhi Police addresses the media regarding the violence during farmers' tractor rally yesterday. https://t.co/vzt5Umpt4q
મહત્વનું છે કે આની સિવાય આજે વિપક્ષના ઘણા નેતાઓએ પણ આ હિંસાને વાજબી ગણાવી નહોતી, જો કે કેબિનેટની બેઠક પછી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે અમે ખેડૂતો સાથે વાતચીતના રસ્તા બંધ નથી કર્યા, અને આ પછી દિલ્હી પોલીસ દ્વારા યોજાયેલી એક પ્રેસ કોન્ફ્રન્સમાં તેમના દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે આ ખેડૂતો દ્વારા જે એનઓસી ભંગ કરવામાં આવ્યું હતું અને લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા, અને ખેડૂતોએ નક્કી થયેલા રૂટની જગ્યાએ અલગ રૂટ લીધો હતો જેના લીધે હિંસા વકરી હતી.
More than 25 criminal cases have been registered by Delhi Police. We are using the facial recognition system and taking the help of CCTV and video footage to identify the accused. No culprit will be spared: Delhi Police Commissioner SN Shrivastava https://t.co/gLmOfI1DqH
મહત્વનું છે કે દિલ્હી પોલીસ દ્વારા જે રીતે હાલમાં હિંસા કરનારા તત્વોની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કાયદો વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે હવે દિલ્હી પોલીસને ફ્રી હેન્ડ આપવામાં આવ્યું છે અને આ બધી કડીઓ જોતા નિષ્ણાતો માની રહ્યા છે કે હવે આ આંદોલન વિખરાઈ જવાની શક્યતાઓ ઉભી થઇ છે. આની સાથે જ આજે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક નિવેદનમાં કહ્યું હતું કે લાલ કિલ્લાનું અપમાન કરવાવાળાઓની સામે કાર્યવાહી થવી જ જોઈએ.