અક્ષય કુમાર વર્ષમાં ચાર ફિલ્મની જગ્યાએ ત્રણ મહિનામાં ત્રણ ફિલ્મ લઈને આવી રહ્યા છે.
અક્ષય કુમારે એક સાથે આટલી ફિલ્મો ન કરવી જોઈએ - ફેન્સ
અક્ષય કુમાર વર્ષમાં ચાર ફિલ્મની જગ્યાએ ત્રણ મહિનામાં ત્રણ ફિલ્મ લઈને આવી રહ્યા છે
એક વર્ષમાં અક્ષયકુમાર પાંચથી છ ફિલ્મો કરી લે છે અને છેલ્લા કેટલાક સમયથી એમની બધી ફિલ્મો લગાતાર ફ્લોપ થઇ રહી છે. પહેલા ' લક્ષ્મી' પછી 'બેલ બોટમ' 'અતરંગી રે', 'બચ્ચન પાંડે' અને હાલમાં જ આવેલ 'પૃથ્વી રાજ'. એમની કોઈ પણ ફિલ્મ બોક્સઓફીસ પર કમાલ બતાવી શકી નથી. જો કે વચ્ચે એમને 'સૂર્યવંશી' જેવી હીટ ફિલ્મ પણ આપી છે. છતાં પણ હાલ તેઓ ઘણા ટ્રોલ થઇ રહ્યા છે.
સોશ્યલ મીડિયા પર ઘણા લોકો એમને ટ્રોલ કરી રહ્યા છે અને સાથે જ એક સાથે આટલી ફિલ્મો ન કરવાની સલાહ આપી રહ્યા છે. એમ પણ કહી રહ્યા છે કે વર્ષમાં પાંચ કરતા એક કે બે ફિલ્મો કરવી જોઈએ. જેથી આવનારી ફિલ્મ ફ્લોપ ન થાય. જો કે આ બધી વાતનો અક્ષય કુમાર પર કોઈ અસર પડી રહ્યો નથી. અક્ષય કુમાર વર્ષમાં ચાર ફિલ્મની જગ્યાએ ત્રણ મહિનામાં ત્રણ ફિલ્મ લઈને આવી રહ્યા છે.
અક્ષયની આવનારી ફિલ્મોની વાત કરીએ તો એમની બે ફિલ્મ થીયેટરમાં અને એક ફિલ્મ ઓટીટી પર રીલીઝ થશે. એમાંથી સૌથી પહેલા ૧૧ ઓગસ્ટના રોજ 'રક્ષા બંધન' ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે. એ પછી ૨ સપ્ટેમ્બરના રોજ 'કઠપુતળી' અને ૨૪ ઓક્ટોબરના રોજ 'રામ સેતુ' ફિલ્મ રીલીઝ થશે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય હાલ છ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. જેમાં ' સેરારાઈ પોટરૂ રીમેક' અને 'કેપ્શુલ ગીલ' ની શુટિંગ કરી રહ્યા છે અને બીજી ત્રણ ફિલ્મ હાલ પોસ્ટ પ્રોડક્શનમાં છે. આ સાથે જ એમની એક આવનારી ફિલ્મ 'ગોરખા' વિશે પણ થોડા સમય પહેલા અનાઉસમેન્ટ કરી હતી.