ખેડૂત આંદોલનને એક વર્ષ પુરુ થવા આવ્યું છે ત્યારે પીએમ મોદીએ 3 નવા કૃષિ કાયદાને પાછા લેવાનું એલાન કર્યું છે.
પંજાબમાં ભાજપ સાથે અકાળી દળ અને કેપ્ટન અમરિંદર ગઢબંધન કરી શકે
પશ્ચિમ યૂપીમાં ભાજપ એક વાર ફરી આક્રમક થઈને પ્રચાર કરી શકે
હવે ભાજપ હરિયાણામાં પોતાની રીતે ફરી મજબૂત થવાની સ્થિતિમાં હશે
કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત આંદોલને 2014, 2017 અને ફરી 2019માં પશ્ચિમ યૂપીમાં મોટી જીત મેળવનારી ભાજપની સમસ્યા વધારવાનું કામ કર્યુ હતુ. ત્યારે ફરી સમીકરણો બદલાયા છે. પશ્ચિમ યૂપીમાં ભાજપ એક વાર ફરી આક્રમક થઈને પ્રચાર કરી શકે છે.
પંજાબમાં ભાજપ સાથે અકાળી દળ અને કેપ્ટન અમરિંદર ગઢબંધન કરી શકે
પંજાબના અનેક શહેરોમાં એવી ઘટનાઓ જોવા મળી રહી છે જ્યાં ભાજપના નેતાને ખેડૂત આંદોલનકારીઓને બંધક બનાવી લીધા અને પોલીસ ફોર્સની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા. વાતાવરણ ભાજપની સામે એટલું ખરાબ હતુ કે કોંગ્રેસ છોડનારા કેપ્ટન અમરિંદર સિંબ પણ તેમની સાથે ન જોડાયા બલ્કે અલગ પાર્ટી બનાવી. એટલુ જ નહીં અકાલી દળે પણ આ મુદ્દા પર ભાજપનો સાથ છોડ્યો હતો. તેવામાં હવે કૃષિ કાયદાને પાછો લીધા બાદ માહોલ સંપૂર્ણ રીતે અલગ થઈ ગયો છે. અને નવા સમીકરણો બનેલા છે. સંપૂર્ણ શક્યતા છે કે કેપ્ટન અમરિંદર સિંહ ભાજપની સાથે મળીને ચૂંટણી લડશે. આ ઉપરાંત અકાળી દળની સાથે પણ આવી શકે છે. જો એવું થયું તો ચૂંટણીની પહેલા કોંગ્રેસને ઝટકો લાગી શકે છે.
હવે ભાજપ હરિયાણામાં પોતાની રીતે ફરી મજબૂત થવાની સ્થિતિમાં હશે
હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકારને પણ ગત થોડક મહિનામાં મોટા સંકટનો સામનો કરવો પડી રહ્યો હતો. ભાજપ નેતાનો વિરોધ ત્યાં સુધી હતો કે તેમના કાફલા પર હુમલો કરી રહ્યા હતા અને ગામમાં એન્ટ્રી પ્રતિબંધિત કરી હતી. ભલે નવા કૃષિ કાયદો કેન્દ્ર સરકાર લાવી હતી. પરંતુ ગુસ્સો ખટ્ટર સરકાર પણ સહી રહી હતી. તેવામાં હવે કાયદો પાછો લીધા બાદ ખટ્ટર સરકારને મદદ મળશે. સહયોગી દળ જનનાયક જનતા પાર્ટીના નેતા પણ ભાજપાની સાથે લઈને ચિંતિત હતા. કેમ કે આનો મોટો જનાધાર જાટોની વચ્ચે જ હતો. જેને કૃષક સમુદાય માનવામાં આવે છે. તેવામાં હવે ભાજપ હરિયાણામાં પોતાની રીતે ફરી મજબૂત કરવાની સ્થિતિમાં હશે. આ ઉપરાંત સહયોગી દળો પર નિશાન સાધી શકશે.