ભારતીય રિઝર્વ બેંકના 3 પૂર્વ ગવર્નરોએ ચેતવણી આપી છે કે બેંકોનું વધતું એનપીએ દેશની આર્થિક પ્રગતિ માટે બહું મોટું સંકટ છે. જો સરકાર જલ્દી આ દિશામાં કોઈ નક્કર પગલા નહીં ઉઠાવે તો ઈકોનોમી પર તેની ખરાબ અસર પડી શકે છે. આરબીઆઈના પૂર્વ ગવર્નરોએ જર્નલિસ્ટ તમાલ બંદ્ધોપાધ્યાયની આવનારી પુસ્તક "Pandemonium: The Great Indian Banking Tragedy" માં આ વાત કહી છે.
નોટબંધી જેવા નિર્ણયોએ બેંકિંગ સેક્ટરની સમસ્યાને વધારે વિકરાળ બનાવી
આ એક આર્થિક સંકટ છે
સમસ્યા ઓછી થવાની જગ્યાએ વધી રહી છે
જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારીને લડવા માટે સરકારે ઘણા પૈસા ખર્ચી નાંખ્યા છે. હવે તેમની પાસે બેંકોને મદદ કરવા માટે બહું ઓછા સંસાધનો વધ્યા છે. ઘટતા રાજસ્વ સંગ્રહથી રાજકોષીય નુકસાનનું બજેટ લક્ષ્ય બે ગણું પહોંચવાની આશંકા છે. 2008થી 2013 સુધી આરબીઆઈના ગવર્નર રહેલા સુબ્બારાવે કહ્યું કે bad loanની સમસ્યા મોટી અને વાસ્તવિક છે. પરંતુ એ પણ સાચું છે કે સરકારની પોતાની રાજકોષીય મજબૂરી છે.
સરકારે આ વર્ષે સરકારી બેંકોને પુનપૂંજીકરણ માટે 20 હજાર કરોડ રુપિયા(2.7 અરબ ડૉલર)ની જોગવાઈ કરી છે. જ્યારે કે વિશ્લેષકોએ કહ્યું કે આ માટે 13 અરબ ડૉલરની જરુરિયાત છે. ગત 3 વર્ષમાં સરકારે 2.6 લાખ કરોડ રુપિયા સરકારી બેંકોમાં નાંખ્યા છે. પરંતુ સમસ્યા ઓછી થવાની જગ્યાએ વધી રહી છે. માર્ચ સુધીમાં આના 12.5 ટકા પહોંચવાનું અનુમાન છે જે દશકોમાં સૌથી વધારે છે.
2003થી 2008 સુધી આરબીઆઈએ ગવર્નર રહેલા વાય વી રેડ્ડીએ કહ્યું કે રાજકોષીય સમસ્યાને પહેલા બેંકિંગ અને પછી ફાયનાન્શિયલ સેક્ટરને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. જેનાથી ઈકોનોમી પ્રભાવીત થઈ રહી છે. કુલ મળીને એનપીએ ન ફક્ત એક સમસ્યા છે પરંતુ આ એક બીજી સમસ્યાનું પરિણામ છે. ત્યારે 1992થી 1997 સુધી કેન્દ્રીય બેંકોના પ્રમુખ રહેલા સી રંગરાજને કહ્યું કે રિયલ એસ્ટેટ સેક્ટરની સમસ્યા યથાવત છે અને હાલમાં લેવામાં આવેલા નોટબંધી જેવા નિર્ણયોએ બેંકિંગ સેક્ટરની સમસ્યાને વધારે વિકરાળ બનાવી દીધી છે. આ એક આર્થિક સંકટ છે.